Skip to main content

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૬

રાધા: પણ આ ગોવાળો જે રીતે તને માન-સન્માન આપે છે એ રીતે તને બીજે નહી મળે કાના, અને કદાચ તું જાય તો એમને માઠું લગાડે ને પછી તને નહી સ્વીકારે તો? અને કાના વડવાઓ કહી ગયા છે કે જ્યાં માન ના હોય ત્યાં એક ક્ષણ પણ ના રહેવું જોઈએ. તું આટલું માન છોડી ને જઈશ?(રાધા એ બધી તરકીબો લગાવી દેવા નો નિશ્ચય કરી લીધો હતો એને કૃષ્ણને લાચાવી ને કે ડરાવી ને પણ ગોકુળમાં રાખવો હતો.)

કૃષ્ણ:રાધા મેંતો ક્યારેય માન સન્માનની પરવા કરી જ નથી, મેં જે કર્યું એ મારું કર્તવ્ય હતું અને મારું કામતો કર્મ કરવાનું છે ફળતો ઉપરવાળાના હાથમાં છે.(અત્યારે પહેલી વાર કૃષ્ણનું સ્થિતપ્રજ્ઞ વાળું રૂપ રાધાની સમક્ષ પ્રસ્તુત થયું હતું)

રાધા: લાગે છે તે ગોકુળ છોડવાનો વિચાર કરી જ  લીધો છે કાના, તો હું તને નઈ રોકું પણ તે એક વાર પણ મારો વિચાર કર્યો હતો કાના? મારું શું? મારી ખુશીઓ નું શું? આપણે સાથે જોયેલા સપનાઓ નું શું જેને હું રોજ રાત્રે મારા મનમાં સેવતી હતી? કાના, આ આંખોનું શું જે રોજ બસ માત્ર કાનાનો ચહેરો જોવા જ જીવતી હોય એમ આખો દિવસ તને શોધતી હોય છે? કાના,આ કાન નું શું જે બસ કાનાનો અવાજ સાંભળવા માટે જ ખુલતા હોય છે? આ હાથ નું શું જે માત્ર કાનાના સ્પર્શ માટે જ બન્યા હોય એમ એની ગેરહાજરીમાં માં સુન્ન થઇને પડી રહે છે? આ પગ નું શું જે માત્ર તારી પાસે આવવા માટે જ બન્યા હોય એમ તારાથી અલગ થતા જ કામ કરવાની ના પડી દે છે? અને સૌથી વધારે તો આ મન જે આખો દિવસ ને રાત માત્ર તારા નામ નો જાપ કરતા થાકતું જ નથી જાણેએ મારું નહી પરંતુ તારું હોય. આ શરીર અને આ યુવાનીની શું કિંમત કાના જો એ તારી માટે ના હોય? તે તો તારી વાત મૂકી, તારી મહત્વાકાંક્ષા, તારી જીવનની રીત,તારા કર્મો, તારું જ્ઞાન અને તારા જીવનના રંગો પણ મારું શું કાના? મારા જીવનના બધા રંગો તો ખાલી કાના માં છે બીજે ક્યાંય નહિ.  આમાં હું ક્યાં છું? (રાધા એ કૃષ્ણ ની આંખ માં આંખ નાખતા વેધક સવાલો નો એક પછી એક મારો ચલાવ્યો,એની આંખો અત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી હતી પરંતુ એકનો પણ જવાબ કૃષ્ણ પાસે નહતો)

Comments

Post a Comment

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર