Skip to main content

ક્રિષ્નાની પટરાણીઓ










ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી.
આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત.

રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા.

કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવામાં આવે છે. આ ભગવાન સૂર્ય દેવની પુત્રી છે. આ દેવીએ શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે સૂર્યદેવ પાસેથી કાલિંદીનો હાથ માગી લીધો અને તેમની સાથે વિવાહ કરી લીધા.

મિત્રવૃંદાઃ- ભગવાન શ્રીકૃષ્ણની ત્રીજી પટરાણી મિત્રવૃંદા છે. આ દેવી ઉજ્જૈનની રાજકુમારી છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયંવરમાં ભાગ લઇને મિત્રવૃંદાને પોતાનાં ત્રીજાં પટરાણી બનાવી લીધાં છે.

સત્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણનાં ચોથી પટરાણીનું નામ સત્યા છે. કાશીના રાજા નગ્નજિતની પુત્રીના વિવાહની શરત હતી કે જે સાત બળદની સાથે એક સાથે યુદ્ધ કરશે અને એક સાથે હરાવી દેશે તે જ સત્યાનો પતિ બનશે. શ્રીકૃષ્ણે સ્વયંવરની આ શરતને પૂર્ણ કરી સત્યા સાથે વિવાહ કરી લીધા.

જામ્બવતીઃ- રીંછરાજ જામ્બવંતની જામવતી શ્રીકૃષ્ણની પાંચમી પટરાણી છે. સ્યમંતક મણિને લઇને શ્રીકૃષ્ણ અને જામ્બવંતની વચ્ચે યુદ્ધ થયું અને જામ્બવંતને જાણ થઇ કે શ્રીકૃષ્ણ તેમના આરાધ્ય શ્રીરામ છે. ત્યાર પછી જામ્બવંત જામ્બવતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

રોહિણીઃ- શ્રીકૃષ્ણની છઠ્ઠી પટરાણીનું નામ રોહિણી છે. આ દેવી ગય દેશના રાજા ઋતુસુકૃતની પુત્રી છે. કોઇને કોઇ જગ્યાએ તેનું નામ કૈકયી અને ભદ્રા પણ મળી આવે છે. રોહિણીએ સ્વયંવરમાં શ્રીકૃષ્ણને સ્વયં પોતાના પતિ તરીકે પસંદ કરી લીધા છે.

સત્યભામાઃ- ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી સત્યભામા છે. તે સત્રાજિતની પુત્રી છે. જ્યારે શ્રીકૃષ્ણે સત્રાજિત દ્વારા લગાવેલ પ્રસેનની હત્યા અને સ્વયંતક મણિને ચોરવાનો આરોપ ખોટો સાબિત કરી દીધો અને સ્યયંતક મણિ પાછો આપી દીધો ત્યારે સત્રાજિતે સત્યભામાના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

લક્ષ્મણાઃ- ભગવાન શ્રીકૃષ્ણની આઠમી પટરાણીનું નામ લક્ષ્મણા છે. તેમણે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવીને તેમને પોતાના પતિ પસંદ કરી લીધા છે. શૈવ્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણની નવમી પટરાણીનું નામ શૈવ્યા છે. રાજા શૈવ્યાની કન્યા હોવાને કારણે તે શૈવ્યા તરીકે ઓળખાઇ. જોકે, તેમનું અન્ય નામ ગાંધારી પણ છે.



Comments

Popular posts from this blog

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર