Skip to main content

આ કક્કો જો આવડી જાય તો જીવનમાં કોઈ તકલીફ ન આવે....

*.*


*ક* - કંચન, કામિની ને કાયા
         એ ત્રણેય સંસારની માયા.

*ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા
          શક્તિનો વિચાર કરજો.

*ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ
          એ ત્રણે સરખાં સમજુ.

*ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી
         એમાં જિંદગી આખી બાળી.

*ચ* - ચોરી, ચુગલી અને ચાડી
          એ ત્રણેય દુર્ગતિની ખાડી.

*છ* - છોરુંની ભૂલ છાવરશો તો
          લોહીનાં આસું સારશો.

*જ* - જાગ્યાં તેનો જશ ગવાશે
           ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

*ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
          એ ફેલને માર્ગે લઈ જવાની.

*ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે
         એ પુણ્ય બાળે ને પાપ ભરે.

*ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
         એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો
         જે નિજ નામને ભણ્યો.

*ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે
         ભજન કરો ભાઈ કાળ ફરે છે.

*ત* - તૃષ્ણાથી તરસતો તાવ
         સંતોષની ગોળીથી જાય.

*થ* - થોડું કરો પણ સતત કરો
          સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

*દ* - દમી, દયાળુ ને દાતા
         તે પામે સુખ ને શાતા.

*ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
         એ અમરધામની પદવી લે.

*ન* નિયમ, ન્યાય ને નીતિ
       જેને મળે, સુખની ચાવી તેને.

*પ* - પંચવિષયને તજો તમામ
         હરિ ભજી પામો અમરધામ.

*ફ* - ફરી ફરીને ફરવું નથી
         ભવસાગરમાં પડવું નથી.

*બ* - બાવળ, બોરડી ને બાયડી
          એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે
           તે તો લખ ચોરાશી ભમે.

*મ* - મોહ, મમતા ને માયા,
          એમાં રમે નહિ તે ડાહ્યાં.

*ય* - યમ, નિયમને ઉર ધરજો,
         સદાય પરમ સુખને વરજો.

*ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન
         નહીં આસક્તિ મમતા માન.

*લ* - લક્ષ્મી, લાડી ને લોભ
          એ પરભવ મુકાવે પોક.

*વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
          બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

*શ* - સાધક ગુણ શણગાર ધરે
          તેને અમરધામ વરે.

*સ* - સંસાર સાગર ખારો છે
          સત્સંગ મીઠો આરો છે.

*ષ* - ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
         મહામંત્ર છે ભવ તારાયણ.

*હ* - હરિને ભજતાં પાપ ટળે
          અંતે અમરધામ મળે.

*ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
          એને ઇન્દ્રિય વિજય વરે.

*જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય

 પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

કૃષ્ણ તારા સ્વપ્નમાં

હે કૃષ્ણ, તારા સ્વપ્નમાં, તારા સ્વપ્નમાં હોવું એટલે શું? તારી હાજરી ન હોવા છતાં તારી હયાતી ની મુલાકાત, એક એવી મુલાકાત કે જેમાં નથી સમાજનો ડર કે નથી કોઇ પરવા, જ્યારે સમાજના બંધનોને કારણે હું તને નથી મળી શકતી ત્યારે હું તને સ્વપ્નમાં રૂબરૂ થાવ છું. જ્યારે હું તને વિચાર કરતી કરતી તારામય થાઉં છું ત્યારે ત્યારે હું તને મારી પાસે પામું છું. લોકો કહે છેકે સ્વપ્નો જોવા માટે શાંતિ જરૂરી છે. જ્યારે મારો શાંતિનો સ્ત્રોત જ તું છે. મને શાંતિ અર્પે છે ત્યારે ત્યારે જ મને તારી સ્વપ્નમાં મુલાકાત થાય છે. અજીબ વાત છે ને તારી મુલાકાત કરવા માટે પણ તારી ઈચ્છા જોઈએ છે.જેમ ચકોરી ચંદ્રને કોઈ પણ ઇચ્છા કે પામવાની અપેક્ષા વગર ચાહે છે તેમ હું તને ઝંખું છું, કદાચ એ જ મારી ઝંખના મારો પ્રેમ છે.જેમ હું તને સ્વપ્નમાં ઝંખું છું એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઝંખું એવી જ મારી મનથી તને પ્રાર્થના છે. અને જેમ તને અત્યારે ચાહું છું એવું હરજનમ તને ચાહું ચકોરી ની જેમ એવી મારી અપેક્ષા છે. ©કોપીરાઈટ આરક્ષિત <script data-ad-client="ca-pub-6566520096856573" async src="https://pagead2.goo...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)