Skip to main content

આ કક્કો જો આવડી જાય તો જીવનમાં કોઈ તકલીફ ન આવે....

*.*


*ક* - કંચન, કામિની ને કાયા
         એ ત્રણેય સંસારની માયા.

*ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા
          શક્તિનો વિચાર કરજો.

*ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ
          એ ત્રણે સરખાં સમજુ.

*ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી
         એમાં જિંદગી આખી બાળી.

*ચ* - ચોરી, ચુગલી અને ચાડી
          એ ત્રણેય દુર્ગતિની ખાડી.

*છ* - છોરુંની ભૂલ છાવરશો તો
          લોહીનાં આસું સારશો.

*જ* - જાગ્યાં તેનો જશ ગવાશે
           ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

*ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
          એ ફેલને માર્ગે લઈ જવાની.

*ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે
         એ પુણ્ય બાળે ને પાપ ભરે.

*ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
         એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો
         જે નિજ નામને ભણ્યો.

*ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે
         ભજન કરો ભાઈ કાળ ફરે છે.

*ત* - તૃષ્ણાથી તરસતો તાવ
         સંતોષની ગોળીથી જાય.

*થ* - થોડું કરો પણ સતત કરો
          સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

*દ* - દમી, દયાળુ ને દાતા
         તે પામે સુખ ને શાતા.

*ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
         એ અમરધામની પદવી લે.

*ન* નિયમ, ન્યાય ને નીતિ
       જેને મળે, સુખની ચાવી તેને.

*પ* - પંચવિષયને તજો તમામ
         હરિ ભજી પામો અમરધામ.

*ફ* - ફરી ફરીને ફરવું નથી
         ભવસાગરમાં પડવું નથી.

*બ* - બાવળ, બોરડી ને બાયડી
          એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે
           તે તો લખ ચોરાશી ભમે.

*મ* - મોહ, મમતા ને માયા,
          એમાં રમે નહિ તે ડાહ્યાં.

*ય* - યમ, નિયમને ઉર ધરજો,
         સદાય પરમ સુખને વરજો.

*ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન
         નહીં આસક્તિ મમતા માન.

*લ* - લક્ષ્મી, લાડી ને લોભ
          એ પરભવ મુકાવે પોક.

*વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
          બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

*શ* - સાધક ગુણ શણગાર ધરે
          તેને અમરધામ વરે.

*સ* - સંસાર સાગર ખારો છે
          સત્સંગ મીઠો આરો છે.

*ષ* - ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
         મહામંત્ર છે ભવ તારાયણ.

*હ* - હરિને ભજતાં પાપ ટળે
          અંતે અમરધામ મળે.

*ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
          એને ઇન્દ્રિય વિજય વરે.

*જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય

 પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર