Skip to main content

જો મને કૃષ્ણ મળે તો હું પુછેત કે.......

  રાધા ને એક ઝાટકે છોડી ને મથુરા મામા સાથે ભીષણ યુદ્ધ લડવા ગયા! પ્રેમ ભગ્ન લોકો તો પોતાના મગજ પર કંટ્રોલ ગુમાવી દે છે.. તમે આવા ભીષણ યુદ્ધમાં કઈ રીતે મગજ પર કંટ્રોલ રાખ્યો?
  –  મથુરા નું રાજ્ય નાના ને સોંપી ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જતા રહ્યા ત્યારે તમને રાધા યાદ ના આવી? 
  –  જરાસંઘ વધ પછી 16000 ત્યકતાને સ્વીકારી ત્યારે તમને એમ ના થયું કે રાધા ને પણ સ્વીકારી એને દ્વારિકાની મહારાણી બનાવી દઉં?
  –  રુકમણી નું હરણ કર્યું ત્યારે તમારો પહેલો પ્રેમ યાદ ના આવ્યો?
  –  16008 સ્ત્રીઓ સાથે માજબૂરીમાં અને તેમને રાજી રાખવા જ મેરેજ કર્યા! તો રાધા નો શું વાંક? એની સાથે પણ લગ્ન કર્યા હોત તો?
  –  પળે પળે લોક કલ્યાણ માટે પત્નીથી દૂર રહયા ત્યારે તમને પત્ની-પ્રેમિકા યાદ ના આવી? એમની યાદો ભૂલવા તમે શું કરતા?
  –  દ્રૌપદી અને પાંડવો ની પ્રેમભરી ગોષ્ટિ રોજ જોય તમારા મનમાં તમારી પત્ની અને રાધા યાદ નાં આવી?
  –  કુરુક્ષેત્રમાં આખો દિવસ રથ હાંકી સાંજે પથારીમાં પડ્યા પડયા તમને એવું નાં થયું કે કાશ અત્યારે રાધા-રુકમણી પગ-માથું દબાવી દ્યે તો હું ફ્રેશ થઈ જાવ! આવા સમયે તમે શું કરતા?
  –  પ્રભાસ-પાટણ પાસે ભાલકા તિર્થે  પારધીનું બાણ લાગતા મૃત્યુની નજીક પહોંચીને તમે એવું કેમ કહ્યું કે “રાધા ને જઇ કોઈ કહેજો કે કૃષ્ણ હવે આ દુનિયામાં નથી. આટલો પ્રેમ? તો અંતિમ પળે તેમને રૂબરૂ કેમ ના મળવા ગયા? દરેક વિકટ પરિસ્થિતિઓનો જિંદગીભર સામનો કરનાર કૃષ્ણ શું રાધાનો સામનો કરવા સક્ષમ નહોતો? (આમ તો તમે અંતર્યામી છો…રાધા ને દર્શન દઈ તમે ખુદ આ બધું જણાવી દેત… આવું કેમ નહિ?)
  કદાચ આવા ઘણા પ્રશ્નનો દ્રૌપદી જેવી પ્રિય સખી એ પીઠમાં એક ધબ્બો મારી કે રુકમણીએ માથાના વાળ પસરાવી પૂછયા હોત તો આપણ ને પ્રેમ પર એક મહાન ગ્રંથ મળત.
ગાંધીજી જેવા ત્રાની સહિત ઘણા એવું માને છે કે રાઘા-કુરુક્ષેત્ર જેવું કઇ નહોતુ આ બધી રુપક કથા છે…કૃષ્ણને કદાચ આ પુછીએ તો એ આ બધી સાચા-ખોટાની પળોજણમાં પડ્યા વગર ઉપરના પ્રશ્નોનો જવાબ જરુર આપે… 
જગત ગીતાજી ને પામી ધન્ય થયું…આજના પ્રેમભગ્નથી ડીપ્રેશનમાં આવી જતા યુવાનો માટે પ્રેમગ્રંથની પણ એટલી જ જરૂર છે..આપણને મહાજ્ઞાની કૃષ્ણ પાસે થી પ્રેમ પરનું જ્ઞાન ન મળવાનું દુઃખ જરૂર હશે.
ખેર એક આડવાત….બીજા ધર્મ નાં કટ્ટરપંથી ઓ ગીતાજીની ઉપેક્ષા કરતા હોય કે પોતાના ધર્મ ગ્રંથને લીધે વાંચતા પણ ના હોય…ગીતાજીમાં કહ્યું હતું…હું જ ભગવાન છું, હું પાછો આવીશ વગેરે વગેરે બીજા ધર્મના લોકો સહન પણ નાં કરી શકે! જો કૃષ્ણે થોડાક શ્લોકો પ્રેમ પર કહ્યા હોત તો એ શ્લોકોને વણી એક પ્રેમગ્રંથ ની રચના કરવામાં આવી હોત તો જગતની બેસ્ટ સેલર બુક બની હોત! એ ગ્રંથ નાત જાતના ભેદભાવ વગર બધા વાંચત! (કારણ કે પ્રેમને કોઈ ધર્મ નથી હોતો અને તેમાં કૃષ્ણ પોતાના નામ નો ઉલ્લેખ કર્યા વગર માત્ર પ્રેમ પર જ કહેત, જે દરેક ધર્મના લોકો પચાવી શકે 😉 )
લોકો ની માનસિકતા પ્રમાણે એક જ ઓથર ની એક સારી બુક વાંચ્યા પછી એજ ઓથર ની બીજી બુક જરૂર વાંચત…આમ કૃષ્ણ પર લખેલ પ્રેમગ્રંથ વાંચી ગીતાજી વાંચવા દરેક ધર્મનો માનવી પ્રેરાત… આડકતરી રીતે ગીતાજી અને કૃષ્ણત્વનો સમગ્ર વિશ્વમાં કોઈ પ્રચાર-પ્રશાર વગર ફેલાવો થાત. 😉
જયશ્રી કૃષ્ણ….

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૨

કૃષ્ણ: અરે લે! તું તો ગુસ્સે થઇ ગઈ. પણ તને ખબર છે તું ગુસ્સામાં પણ બઉં સારી લાગે છે. તારા ગોરા ચહેરા પર આ લાલ ગુસ્સો કઈ શણગાર થી સહેજેય ઓછો નથી લાગતો.( કૃષ્ણએ એના એ જ ટીપીકલ અંદાજ માં જવાબ વાળ્યો.) રાધા: ખોટી ખોટી તારીફો નઈ કર આવું તો તું ગોકુળની બધી ગોપીઓ ને કહી વળ્યો છે મને ખબર છે એટલે તારા આ શબ્દોની રમત મારી જોડે ના રમ. જે કેવા આવ્યો છે એ કહી દે મારે મોડું થાય છે.(રાધાની ધીરજ હવે ખૂટી રહી હતી એને કાના ને લડવું હતું ને ગળે મળીને રડવું હતું  કદાચ એને અંદાજો આવી ગયો હતો કે આ એની છેલ્લી મૂલાકાત હતી) કૃષ્ણ: ક્યાં તું એ ગોપીઓ જોડે તારી જાત ને સરખાવે છે રાધા? એ તો ગોપીઓ છે ને તું રાધા,મારી રાણી.(કૃષ્ણ રાધા ના દિલ ની પરિસ્થિતિ જાણતો હોવા છતાં આવી વાતોમાં સમય વેડફતો હતો ખબર નઈ કેમ કદાચ એ રાધા ની પરીક્ષા લેતો હતો કે પછી પોતે રાધા જોડે છેલ્લી મુલાકાત ને થાય એટલી વધારી ને એને પણ મનમાં યાદોંના પોટલા ભરી લેવા હતા? કે પછી કૃષ્ણ પણ પરિસ્થિતિનો સામનો કરવા કરતા એનાથી ભાગી રહ્યો હતો? ) રાધા: એ બધું છોડ શું કરવા આવ્યો છે એ બોલ.(રાધા નો સંયમ હવે ખૂટી રહ્યો હતો. એને હજુ કૃષ્ણ આવ્યો ત્યારનું એ...