Skip to main content

શ્રીમદ્દભગવદ્દ ગીતા વિષે રોચક તથ્યો જે તમને હજુ સુધી ખબર નહીં હોય…

શ્રીમદ્દભગવદ્દ ગીતા હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથમાંનો એક છે. આ ગ્રંથમાં જીવનનો સૂંપૂર્ણ સાર આપવામાં આવ્યો છે. આજે આપણે ગીતા વિષે એવી જાણકારી મેળવીશું કે તમને કામ લાગશે.
1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે.
2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે.
3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે.
4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે.
5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો.
6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે.
7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક્ષૌહણી સેના હતી જ્યારે કૌરવો પાસે 7 અક્ષૌહણી સેના હતી જેનો કુલ આંક 18 થાય છે.
8. ભગવદ્દગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ 1785માં કરવામાં આવ્યો હતો.
9. ભગવદ્દગીતાનો ઉપદેશ અર્જૂન સિવાય બીજા ત્રણ લોકોએ સાંભળ્યો હતો. જેમાં સંજય, હનુમાનજી તેમજ બર્બરીક (ઘટોત્કચનો પુત્ર)નો સમાવેશ થાય છે.
10. ભગવદ્દગીતા મૂળ શાસ્ત્રીય સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે પરંતુ તેનો અત્યાર સુધી 175 ભાષામાં ભાષાંતર કરાયું છે.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા...

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૧

( *અહીં જે રાધા અને કૃષ્ણની વાત કરી છે એ કઈ કોઈ પરમેશ્વરની કે ચારેય ભુવનના સ્વામીની નહી પરંતુ એક મહત્વકાંક્ષી યુવાન અને એક એવી છોકરીની કે જે એ યુવાનના પ્રેમ ને જ પોતાનું સર્વર્સ્વ માને છે, એની માટે જીવન નો પાર્યાય એનો પ્રેમ છે. એવા યુગલ ના છેલ્લા સંવાદ, છેલ્લા પ્રયત્ન અને છેલ્લી યાદ ની વાત છે.) રાધા કૃષ્ણના ગોકુળ છોડવાના સમાચાર સાંભળી ને યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે મોં પર ગુસ્સોને મનમાં પારાવાર દુ:ખ લઇને બેઠી છે અને વિચારે છે ક્યારે કાનો આવે અને એને લડીને એના ગળે મળીને મન ભરીને રડીલે.અને ત્યાંજ કૃષ્ણ રાધા રાધાની બુમો પડતો આવી પહોંચે છે. કૃષ્ણ: રાધા! મને ખબર જ હતી તું અહીં જ મળીશ મને. આમેય ગામ નો ઉતાર ભાગોળે જ મળે. ખરું કે નઈ? (કૃષ્ણ એ એના એ જ મજાકિયા અંદાજ માં રાધાના મન ની વાત અને પરિસ્થિતિ જાણતો હોવા છતા કીધુ.) રાધા: હા અમે ઉતાર ને તું? મોટો રાજા નઈ? તો શું કામ આવ્યો છે આ ઉતાર પાસે બુમો પાડતો?(રાધા એ બીજી તરફ મો ફેરવી ને ઉત્તર આપ્યો)

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?……… ...