Skip to main content

રાધાના ક્રિષ્ના માટેનાં વિચાર -૨

હે કૃષ્ણ,
જીવનનો કેટલો બધો સમય મેં વેડફી નાખ્યો. તને મળવામાં બહુ સમય ગુમાવ્યો તેનું દુઃખ હંમેશા મારા હદયને પલ પલ કોરી ખાય છે. તું તો અણુએ અણુમાં બિરાજમાન છો. તું મારા જીવનની દરેક પળ પળમાં મારી સાથ જ છો. જયારે જયારે હું દુનિયાથી થાક્યો ત્યારે ત્યારે તે મારો હાથ થામ્યો. તું જ મારો તારણહાર, તું જ મારો સર્જનહાર, તું જ મારા જીવવનરૂપી રથનો સારથી.
હે કૃષ્ણ,
તારી દુનિયા દીવાને છે, પણ હું તો તારી જ દીવાની છું. મારો એક એક શ્વાસ તારા નામનું જ રટણ કરે છે. મારી સવાર પણ તારી સાથે અને મારી રાત પણ તારી સાથે મારી દુનિયા જ તું. મારા રગ રગ વહેતું એક એક કણ પણ તારા જ નામનું રટણ કરે છે. મારા મનમાં તું, મારી આસપાસ તું, મારી નજરમાં તું, ફૂલોની ક્યારીમાં તું, ચકલીઓની ચીં...ચીં... માં તું, ઉગતાં સુરજના કિરણોમાં તું, આથમતા સુર્યના ફેલાયેલા રંગમાં તું, મારી નજર જ્યાં પણ પડે સર્વસ્વ બસ તું....તું....તું...તું...તું...
હે કૃષ્ણ,
તારો પ્રેમ અજર અમર છે, જે હંમેશ મને તારામાં બાંધીને ઝકડી રાખે છે. સવારે ઉઠું તો તું મારી પાસે જ હોય છે. મારા દરેક કાર્યમાં તું અખંડ હોય છે, મારી પ્રિતમાં પણ તું છે તો મારા ગુસ્સામાં પણ તું પદ્માસન વાળીને અઠંગ યોગીની જેમ બેઠો હોય છે. મારા માથાના ગજરાની વેણીમાં તું સુગંધ બનીને મહેકે છે, તો મારા ભોજનમાં પણ તું મીઠાશ બનીને સંતોષનો અહેસાસ અપાવે છે. આ તે તારો કેવો પ્રેમ હું તને બોલવું કે બોલવતા ભુલી જાવ પણ તું મને ક્યારેય ભૂલતો નથી. તારો આજ નિસ્વાર્થ પ્રેમ મને તારી ઔર નજીક... ઔર નજીક... ઔર નજીક... ઔર નજીક... લાવે છે.
હે કૃષ્ણ,
તને મળવું પણ શક્ય નથી, તારાથી દુર રહેવું પણ શક્ય નથી, નથી તારી પાસે રહેવાનું બની શકે એમ, તું અને તારી ઈચ્છાએ કેવીએ એવી તો તરસરૂપી આશ જગાવી છે કે, એક એક પલ પણ હવે તો એક એક યુગ જેવો લાગે છે. તારા દર્શનની અતૃપ્ત ઈચ્છા માટે મારી આંખો જાણે ચાતકની જેમ કાગ ડોળે તારી રાહ જુએ છે, મારું મન જાણે છેલ્લો શ્વાસ સાથે અબઘડી વિરામ લેશો તો ! એ આશા ધીરજ ધરીને તારાજ નામની માળા જપે છે. મારા હાથમાં રહેલી પેન તારા જ નામનું આંકન કરે છે મારા કાન તારી મોરલીના સુર સાંભળવાને તળપી રહ્યા છે, તેના સિવાયની દુનિયા તો જાણે શુન્ય થઈ ગઈ છે.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર