પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકૂબર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ?
શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.
કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.
હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.
વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.
મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા એ બે દેવકુમારોને જોઇ તેઓના પર અનુગ્રહ કરવા સારુ શાપ દેવાનો નિશ્ચય કરીને નારદજી આ પ્રમાણે બોલ્યા.
નારદજી કહે છે પ્રિય વિષયોને સેવનાર પુરુષને એક લક્ષ્મીના મદ વિના કુલીનપણાથી કે વિદ્વાનપણાથી ઉત્પન્ન થયેલો બીજા કોઇ પણ પ્રકારનો મદ અથવા રજોગુણનું કાર્ય બુદ્ધિને ભ્રષ્ટ કરનાર નથી, પણ લક્ષ્મીનો મદ જ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે, કે જે લક્ષ્મીના મદની સાથે સ્ત્રીઓનું, જુગારનું અને મદિરા પીવાનું વ્યસન રહે છે.
આ ક્ષણભંગુર દેહને લક્ષ્મીના મદને લીધે અજર અને અમર માનનાર અજિતેંદ્રિય લોકો નિર્દય થઇને પશુઓને મારે છે.
નરદેવ અને ભૂદેવ કહેવાતો હોય છતાં પણ જે આ દેહ છેલ્લીવારે સડી જાય તો કીડારૂપ, ખવાઇ જાય તો વિષ્ટારૂપ, અને બાળીનાખવામાં આવે તો ભસ્મરૂપ થનાર છે, આવા નાશવંત દેહને રાજી રાખવા સારુ પ્રાણીઓનો દ્રોહ કરનાર પુરુષ પોતાના મોક્ષરૂપી સ્વાર્થને શું જાણે છે ? નથી જ જાણતો. કેમકે પ્રાણીઓનો દ્રોહ કરવાથી તો નરક જ મળે છે.
વાસ્તવિક રીતે આ દેહ કોનો છે ? અન્નદાતાનો કહીએ તોપણ ખોટું નથી, પિતાનો કહીએ તોપણ ખોટું નથી, માતાનો કહીએ તોપણ ખોટું નથી, કોઇ બળવાન પુરુષ દાસ કરી લે તો તેનો છે એમ કહેવામાં પણ ખોટું નથી, વેચાતો લેનારનો કહીએ તોપણ ખોટું નથી, છેલ્લીવારે બાળી નાખે છે તેથી અગ્નિનો કહીએ તોપણ ખોટું નથી. અને સમયપર કૂતરાં ખાઇ જાય તેથી કૂતરાંનો કહીએ તોપણ ખોટું ન કહેવાય.
શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી.
કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા.
હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા.
વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં.
મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા એ બે દેવકુમારોને જોઇ તેઓના પર અનુગ્રહ કરવા સારુ શાપ દેવાનો નિશ્ચય કરીને નારદજી આ પ્રમાણે બોલ્યા.
નારદજી કહે છે પ્રિય વિષયોને સેવનાર પુરુષને એક લક્ષ્મીના મદ વિના કુલીનપણાથી કે વિદ્વાનપણાથી ઉત્પન્ન થયેલો બીજા કોઇ પણ પ્રકારનો મદ અથવા રજોગુણનું કાર્ય બુદ્ધિને ભ્રષ્ટ કરનાર નથી, પણ લક્ષ્મીનો મદ જ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે, કે જે લક્ષ્મીના મદની સાથે સ્ત્રીઓનું, જુગારનું અને મદિરા પીવાનું વ્યસન રહે છે.
આ ક્ષણભંગુર દેહને લક્ષ્મીના મદને લીધે અજર અને અમર માનનાર અજિતેંદ્રિય લોકો નિર્દય થઇને પશુઓને મારે છે.
નરદેવ અને ભૂદેવ કહેવાતો હોય છતાં પણ જે આ દેહ છેલ્લીવારે સડી જાય તો કીડારૂપ, ખવાઇ જાય તો વિષ્ટારૂપ, અને બાળીનાખવામાં આવે તો ભસ્મરૂપ થનાર છે, આવા નાશવંત દેહને રાજી રાખવા સારુ પ્રાણીઓનો દ્રોહ કરનાર પુરુષ પોતાના મોક્ષરૂપી સ્વાર્થને શું જાણે છે ? નથી જ જાણતો. કેમકે પ્રાણીઓનો દ્રોહ કરવાથી તો નરક જ મળે છે.
વાસ્તવિક રીતે આ દેહ કોનો છે ? અન્નદાતાનો કહીએ તોપણ ખોટું નથી, પિતાનો કહીએ તોપણ ખોટું નથી, માતાનો કહીએ તોપણ ખોટું નથી, કોઇ બળવાન પુરુષ દાસ કરી લે તો તેનો છે એમ કહેવામાં પણ ખોટું નથી, વેચાતો લેનારનો કહીએ તોપણ ખોટું નથી, છેલ્લીવારે બાળી નાખે છે તેથી અગ્નિનો કહીએ તોપણ ખોટું નથી. અને સમયપર કૂતરાં ખાઇ જાય તેથી કૂતરાંનો કહીએ તોપણ ખોટું ન કહેવાય.
Comments
Post a Comment