સુદામા- કૃષ્ણની આ કથાનો ભાગવતપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે
- જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે
હિન્દૂ ધાર્મિક પુરાણોમાં કોઇને પણ દગો દેવો અથવા ખોટું બોલવાને સૌથી મોટા અપરાધોમાંથી એક માનવામાં આવે છે. આમ તો ગરુડપુરાણ અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.
પરંતુ અજાણતા અથવા તો નાનામાં નાના અપરાધનું ફળ પણ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક મળે જ છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્યે કોઇ પણ વ્યક્તિ સાથે કપટ ન કરવો જોઇએ. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનનું ફળ આપણને ભગવાન નહીં પરંતુ પ્રકૃતિ પાસેથી મળે છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની આ જ કથાનું ભાગવતપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સુદામાએ બાળપણમાં અજાણતાં શ્રીકૃષ્ણને ખોટું બોલી ગયા હતા. કહેવામાં આવે છે મિત્રના રૂપમાં પોતાના પરમ સખા શ્રીકૃષ્ણ સાથે કપટ કરવાનું પરિણામ સુદામાને યુવાન થયા બાદ મળ્યુ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ સાથે અન્યાય કરવાનો દંડ સુદામાને ગરીબીના રૂપમાં મળ્યો હતો.
સુદામા અને શ્રીકૃષ્ણનું શિક્ષણ-દીક્ષા એક જ ગુરુકુલમાં મળી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુકુલથી બહાર જઇ રહ્યા હતા. વરસાદથી બચવા માટે કૃષ્ણ અને સુદામા એક ઊંચા વૃક્ષ પર ચઢી ગયા. ધીમે-ધીમે રાત થવા લાગી પરંતુ વરસાદ બંધ ન થયો. સુદામા કૃષ્ણથી ઉપરની ડાળીએ બેઠા હતા જ્યારે શ્રીકૃષ્ણ નીચેની ડાળીએ બેસીને વરસાદ થમવાની રાહ જોઇ રહ્યા હતા.
આટલામાં સુદામાને ભૂખ લાગવા લાગી. સુદામાને યાદ આવ્યુ કે ગુરુકુલમાંથી લાવેલા થેલામાં કાચા ચોખા અને ચણા રાખ્યા છે. ભૂખે સુદામાને એટલા વ્યાકૂળ કરી દીધા હતા કે તેઓ કંઇ પણ વિચારવા-સમજવાની સ્થિતિમાં ન હતા. તેમણે ચોખા-ચણાના દાણા ખાવાનું શરૂ કરી દીધુ. ચાવવાની ધ્વનિ સાંભળીને શ્રીકૃષ્ણે સુદામાને પ્રશ્ન કર્યો કે ચાવવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આ સાંભળીને સુદામાએ કહ્યુ 'મિત્ર ઠંડીના કારણે મારા દાંત કડકડવા લાગ્યા છે, મને ઠંડીથી ધ્રુજારી આવવા લાગી છે.'
ભગવાન શ્રીકૃષ્ણ તો પહેલાથી જ બધુ જાણતા હતા. પોતાના મિત્રના નિખાલસ ભર્યા જવાબથી તેઓ મનમાં જ હસી રહ્યા હતા. સુદામો પોતાના હિસ્સાનું પહેલાથી જ ખાઇ ચૂક્યા હતા. પરંતુ થોડીક વાર પછી તેમને ફરીથી ભૂખે વ્યાકૂળ બનાવી દીધા. આ વખતે તેમણે પોતાના મિત્રના હિસ્સાનું પણ ખાઇ લીધુ. શ્રીકૃષ્ણે ફરીથી સુદામાને સવાલ કર્યો અને તેમણે ફરીથી એ જ જવાબ આપી દીધો.
કહેવાય છે કે શ્રીકૃષ્ણનો ભાગ કપટથી ખાઇ જવાને કારણે સુદામાને ગરીબાઇનો સામનો કરવો પડ્યો હતો. તેમની આ પરિસ્થિતિમાં ત્યારે સુધારો જોવા મળ્યો જ્યારે તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે ચોખા આપ્યા. શ્રીકૃષ્ણે પોતાના બાળપણના મિત્રને જોઇને ભેટી પડ્યા અને ચોખાના દાણાને ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધા. શ્રીકૃષ્ણના ચોખાના દાણા ગ્રહણ કરતા જ સુદામાની બધી ગરીબાઇ એક પળમાં દૂર થઇ ગઇ હતી.
આ જોઇને રુક્મણિએ શ્રીકૃષ્ણને સુદામાએ બાળપણમાં કરેલ અપરાધના દંડ વિશે પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સ્મિત સાથે કહ્યુ હું ક્યારેય પણ પોતાના ભક્તો અથવા પ્રિયજનોને દંડ આપી જ શકતો નથી. કારણ કે તેનાથી મને જ પીડા થાય છે. કર્મોનું ફળ તો નિયતિના હાથમાં હોય છે. મેં તો પોતાના મિત્રને એ જ દિવસે માફ કરી દીધો હતો. પરંતુ નિયતિ અથવા પ્રકૃતિ બધા માટે સમાન હોય છે
- જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે
હિન્દૂ ધાર્મિક પુરાણોમાં કોઇને પણ દગો દેવો અથવા ખોટું બોલવાને સૌથી મોટા અપરાધોમાંથી એક માનવામાં આવે છે. આમ તો ગરુડપુરાણ અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.
પરંતુ અજાણતા અથવા તો નાનામાં નાના અપરાધનું ફળ પણ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક મળે જ છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્યે કોઇ પણ વ્યક્તિ સાથે કપટ ન કરવો જોઇએ. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનનું ફળ આપણને ભગવાન નહીં પરંતુ પ્રકૃતિ પાસેથી મળે છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની આ જ કથાનું ભાગવતપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સુદામાએ બાળપણમાં અજાણતાં શ્રીકૃષ્ણને ખોટું બોલી ગયા હતા. કહેવામાં આવે છે મિત્રના રૂપમાં પોતાના પરમ સખા શ્રીકૃષ્ણ સાથે કપટ કરવાનું પરિણામ સુદામાને યુવાન થયા બાદ મળ્યુ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ સાથે અન્યાય કરવાનો દંડ સુદામાને ગરીબીના રૂપમાં મળ્યો હતો.
સુદામા અને શ્રીકૃષ્ણનું શિક્ષણ-દીક્ષા એક જ ગુરુકુલમાં મળી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુકુલથી બહાર જઇ રહ્યા હતા. વરસાદથી બચવા માટે કૃષ્ણ અને સુદામા એક ઊંચા વૃક્ષ પર ચઢી ગયા. ધીમે-ધીમે રાત થવા લાગી પરંતુ વરસાદ બંધ ન થયો. સુદામા કૃષ્ણથી ઉપરની ડાળીએ બેઠા હતા જ્યારે શ્રીકૃષ્ણ નીચેની ડાળીએ બેસીને વરસાદ થમવાની રાહ જોઇ રહ્યા હતા.
આટલામાં સુદામાને ભૂખ લાગવા લાગી. સુદામાને યાદ આવ્યુ કે ગુરુકુલમાંથી લાવેલા થેલામાં કાચા ચોખા અને ચણા રાખ્યા છે. ભૂખે સુદામાને એટલા વ્યાકૂળ કરી દીધા હતા કે તેઓ કંઇ પણ વિચારવા-સમજવાની સ્થિતિમાં ન હતા. તેમણે ચોખા-ચણાના દાણા ખાવાનું શરૂ કરી દીધુ. ચાવવાની ધ્વનિ સાંભળીને શ્રીકૃષ્ણે સુદામાને પ્રશ્ન કર્યો કે ચાવવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આ સાંભળીને સુદામાએ કહ્યુ 'મિત્ર ઠંડીના કારણે મારા દાંત કડકડવા લાગ્યા છે, મને ઠંડીથી ધ્રુજારી આવવા લાગી છે.'
ભગવાન શ્રીકૃષ્ણ તો પહેલાથી જ બધુ જાણતા હતા. પોતાના મિત્રના નિખાલસ ભર્યા જવાબથી તેઓ મનમાં જ હસી રહ્યા હતા. સુદામો પોતાના હિસ્સાનું પહેલાથી જ ખાઇ ચૂક્યા હતા. પરંતુ થોડીક વાર પછી તેમને ફરીથી ભૂખે વ્યાકૂળ બનાવી દીધા. આ વખતે તેમણે પોતાના મિત્રના હિસ્સાનું પણ ખાઇ લીધુ. શ્રીકૃષ્ણે ફરીથી સુદામાને સવાલ કર્યો અને તેમણે ફરીથી એ જ જવાબ આપી દીધો.
કહેવાય છે કે શ્રીકૃષ્ણનો ભાગ કપટથી ખાઇ જવાને કારણે સુદામાને ગરીબાઇનો સામનો કરવો પડ્યો હતો. તેમની આ પરિસ્થિતિમાં ત્યારે સુધારો જોવા મળ્યો જ્યારે તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે ચોખા આપ્યા. શ્રીકૃષ્ણે પોતાના બાળપણના મિત્રને જોઇને ભેટી પડ્યા અને ચોખાના દાણાને ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધા. શ્રીકૃષ્ણના ચોખાના દાણા ગ્રહણ કરતા જ સુદામાની બધી ગરીબાઇ એક પળમાં દૂર થઇ ગઇ હતી.
આ જોઇને રુક્મણિએ શ્રીકૃષ્ણને સુદામાએ બાળપણમાં કરેલ અપરાધના દંડ વિશે પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સ્મિત સાથે કહ્યુ હું ક્યારેય પણ પોતાના ભક્તો અથવા પ્રિયજનોને દંડ આપી જ શકતો નથી. કારણ કે તેનાથી મને જ પીડા થાય છે. કર્મોનું ફળ તો નિયતિના હાથમાં હોય છે. મેં તો પોતાના મિત્રને એ જ દિવસે માફ કરી દીધો હતો. પરંતુ નિયતિ અથવા પ્રકૃતિ બધા માટે સમાન હોય છે
Comments
Post a Comment