હે કૃષ્ણ,
જીવનના સુપ્રભાતે ઉગતા સુર્યના સાંનિધ્યમાં એ તો નિશ્ચિત થઈ ગયું કે આપણે બન્ને એટલે કે તું અને હું બન્ને મૌનની એક જ સફરે એક સાથે નીકળીશું. તારા મૌનને હું વાંચી શકું છું, કોઈ ઉત્તર આપી શક્તિ નથી, તેથી જ આપણે આપણી યાત્રા કોઈ એવી જગ્યાએ કરીશું કે, જ્યાં ફક્ત તું અને હું ના કોઈ દિશા કે ના કોઈ દેશ કે ના કોઈ કિનારો ફક્ત નજર પહોચે ત્યાં સુધી ધૂધવતો સમુદ્ર, તારા સ્મિતરૂપી મૌનની ભાષા એજ મારું મધુર સંગીત. ફરી વિચારું છું કે, તું તો તારામાં લીન છો અને હું તો તારામાં સમાયેલ છું તો આપણે જ આપણી સફરે નીકળીશું.
હે કૃષ્ણ,
તને હું પુરા મનથી નમન કરું છું. ભલે હું તને મારા મનથી નમન કરું પરંતુ તે સમયે મારી બધી ઈન્દ્રિયો ફક્ત તારા અને તારા જ વિચારો કરે, ફક્ત તારા અને તારા જ નામનું રટણ અને તને જ નમન કરે. જયારે હું તારા ચરણોને મારા હાથનો સ્પર્શ કરું છું ત્યારે હું જાણે પ્રકૃતિના એક એક કણમાં તારો સ્પર્શ પામું છે. મારા એક એક કાર્યમાં તું હરહંમેશ આશીર્વાદરૂપ મૌન બનીને હાજરી આપે છે તે તારી હાજરી જ મને હંમેશા તારી નજીક લાવે છે.
કલ્પેશ ઉમરેટીયા
જીવનના સુપ્રભાતે ઉગતા સુર્યના સાંનિધ્યમાં એ તો નિશ્ચિત થઈ ગયું કે આપણે બન્ને એટલે કે તું અને હું બન્ને મૌનની એક જ સફરે એક સાથે નીકળીશું. તારા મૌનને હું વાંચી શકું છું, કોઈ ઉત્તર આપી શક્તિ નથી, તેથી જ આપણે આપણી યાત્રા કોઈ એવી જગ્યાએ કરીશું કે, જ્યાં ફક્ત તું અને હું ના કોઈ દિશા કે ના કોઈ દેશ કે ના કોઈ કિનારો ફક્ત નજર પહોચે ત્યાં સુધી ધૂધવતો સમુદ્ર, તારા સ્મિતરૂપી મૌનની ભાષા એજ મારું મધુર સંગીત. ફરી વિચારું છું કે, તું તો તારામાં લીન છો અને હું તો તારામાં સમાયેલ છું તો આપણે જ આપણી સફરે નીકળીશું.
હે કૃષ્ણ,
તને હું પુરા મનથી નમન કરું છું. ભલે હું તને મારા મનથી નમન કરું પરંતુ તે સમયે મારી બધી ઈન્દ્રિયો ફક્ત તારા અને તારા જ વિચારો કરે, ફક્ત તારા અને તારા જ નામનું રટણ અને તને જ નમન કરે. જયારે હું તારા ચરણોને મારા હાથનો સ્પર્શ કરું છું ત્યારે હું જાણે પ્રકૃતિના એક એક કણમાં તારો સ્પર્શ પામું છે. મારા એક એક કાર્યમાં તું હરહંમેશ આશીર્વાદરૂપ મૌન બનીને હાજરી આપે છે તે તારી હાજરી જ મને હંમેશા તારી નજીક લાવે છે.
કલ્પેશ ઉમરેટીયા
Comments
Post a Comment