કૃષ્ણ: કેમ તું તો એવી રીતે વર્તે છે જેમ તને કઈ ખબર જ ના હોય? આમતો મારી રજે રજ ની ખબર રાખવા વાળી અને મારા કીધા પહેલા માત્ર આંખોથી મારી જોડે વાત કરવા વાળી મારી રાધા ને મારે કહેવું પડે છે આજે? (કૃષ્ણ એ આજે વાત પોતે નઈ કરે એવી પ્રતિજ્ઞા લીધી હોય એમ જવાબો આપતો હતો. કદાચ એ જવાબો આપવાથી ડરતો હતો.)
રાધા: મારી રાધા? મને જો તે તારી માની હોત તો આવી રીતે મને એકલી મૂકી ને ના જતો હોત આજે.(રાધાથી ના રેહ્વાયું)
એને આંખ ઉંચી કરી ને કૃષ્ણ સામે જોયું ને બસ જોતી જ રહી. કૃષ્ણે રાધાની આંખ માં આંખ નાખી એને સમજાયું નહી કે એ આંખોમાં શું હતું? ગુસ્સો કોઈ એનું નજીકનું એને છોડીને જઈ રહ્યું છે એનો કે પછી આજીજી હતી કૃષ્ણ માટે રોકાઈ જવા માટેની કે દુઃખ ફરીથી કાના ને નહી જોઈ શકે એનું? કે પછી ભય કૃષ્ણ વિનાનું જીવન કેવું હશે એનો? કૃષ્ણ એ સમજી ના શક્યા. આ પહેલી વાર હતું કે કૃષ્ણ રાધા ને સમજવા માં નાકામીયાબ રહ્યા હતા.
કૃષ્ણ: કોણે કીધું હું તને છોડી ને જાઉં છું? તું તો સાશ્વત છે જ મારા માં. માત્ર શરીર અલગ થાય છે મન ને આત્મા નહી.(કૃષ્ણ એ પોતાનો પાંગળો બચાવ કર્યો)
રાધા: મેં તને પેલા જ કીધું કે મારી જોડે આ શબ્દોની રમત રમવાનું છોડી દે(રાધા નો ગુસ્સો હવે એના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો. કૃષ્ણને એ વાંચતા વાર ના લાગી)
Comments
Post a Comment