આમ તો ભારત માં દરેક તહેવારો જોર શોર થી મનાવવામાં આવે છે.પરંપરા ની વાત કરીએ તો તહેવારો માણસને સંસ્કૃતિ થી જોડી રાખે છે ને આજના મોર્ડન જમાના નું માનીએ તો ઇટ્સ ઓલ અબાઉટ ફન બડી.. તો મને લાગે છે કે આવી જ રીતે આપણે તહેવારો ને મોર્ડન ટચ અપીને પણ મજા લેવાનું અવનારા સમય માં પણ ચાલુ જ રાખીશું…
હવે એ મજા એમાંય જો ફાગણ માહિના માં આવતા હોળી ના તહેવાર ની હોય તો જલસો બમણો થઇ જાય.કારણકે હોળી એ ફક્ત એક રિવાજી તહેવાર નથી એ તો રંગો નો તહેવાર છે.હોળી એ ફક્ત પરમ્પરાઓની ઉજવણી જ નહીં પરંતુ મસ્તી ને ઉછાડવાનો તહેવાર છે.ઇટ્સ ઓલ અબાઉટ કલર પાર્ટી બડી…
કહેવાય છે કે,હોળી ની ઉજવણી અને રંગોનું આ મહત્વ દ્વાપરયુગ માં ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી પ્રચલિત થયું છે.
પ્રેમ અને ઉત્સાહ ના પ્રતિકરૂપી આ તહેવાર ને ઉજવવા નો જાણે ભગવાને લોકો ને સંદેશો આપ્યો હોય તેવું લાગે છે.એટલે જ કાદાચ આજે પણ કૃષ્ણ જન્મભૂમિ એવા મથુરા-વૃન્દાવન-નન્દગાઉ-બરસાના માં ભારત ની સર્વશ્રેષ્ઠ અને અનોખી હોળી ની ઉજવણી થાય છે, અને એપણ પુરા એક અઠવાડિયા સુધી.
તમે કદાચ હોળી ફક્ત એક દિવસ માટે જ ઉજવી હશે પરંતુ અહીંયા હોળી નો તહેવાર હોળી ના મુખ્ય દિવસ ના લગભગ એક અઠવાડીયા પહેલાથી જ શરૂ થાય છે.
1. બરસાના અને નંદગાવ ની લઠ્ઠામાર હોડી
દિવસ : ફાગણ મહિનાની નવમી (નવમો દિવસ)
સ્થળ : નંદગાંવ અને બરસાના રાધાજી મંદિર
કેવી રીતે પહોચવું : મથુરા થી રીક્ષા મળી રહે છે.
બારસના માં લઠ્ઠામાર હોળી
આ દિવસે નંદગાંવ ના પુરુષ બારસના જાય છે અને ત્યાંના રાધાજી ના મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરે છે.સામે બારસાના ની સ્ત્રીઓ વાંસ ની લાકડીઓ(લઠ્ઠા) વડે મારીને તેમને રોકવાનો અને પાછા ધકેલવાનો પ્રયાશ કરે છે.આથી જ તો આ હોળી ને લઠ્ઠામાર હોળી કહેવામાં આવે છે જેમાં પુરુષ સ્ત્રીઓ પાર બચાવ માટે પ્રહાર નથી કરી શકતો,બસ તે ફક્ત તેમના પર રંગ ઉડાડી ને રોકવાની અભિવ્યક્તિ કરે છે.બારસાના માં હોળી નું આ દ્રશ્ય જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી ના એ પવિત્ર પ્રેમ ની અનુભૂતિ કરાવે છે જે હોળી ની રાસલીલા રમતા એ સમયે પ્રગટ થતો હશે.
2.વૃંદાવન ની ફૂલો ની હોળી
દિવસ : હોળી પહેલા ની એકાદશી નો દિવસ.
સ્થળ : બાકે-બિહારી મંદિર પરિસર,વૃંદાવન
વૃંદાવન માં આવેલ દરેક કૃષ્ણ મંદિર માં હોળી ની ખાસ ઉજવણી થાય છે પરંતુ આ બધા માં પણ બાકે-બિહારી (શ્રીકૃષ્ણ નું એક નામ) મંદિર માં થતી ઉજવણી મુખ્ય આકર્ષણ હોય છે.મુખ્ય હોળી ના દિવસ અગાઉ થી જ અહીંયા હોળી ના અયોજન શરૂ થઈ જાય છે.એકાદશી ના દિવસે અહીંયા એક અંનોખું અયોજન કરવામાં આવે છે જેમાં પરંપરાગત રંગો અને પાણી ને બદલે ફૂલો વડે સૂકી હોળી રમવામાં આવે છે.સાંજના સમયે 4 વાગ્યે મંદિર ના દ્વાર હોળી રમવા માટે ખુલ્લા મુકવામાં આવે છે.મંદિર ના પૂજારીઓ દ્વારા ભક્તો પર ફૂલો ની વર્ષા કરી ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવે છે.ફૂલો ની આ હોળી નું આકર્ષણ વર્ષોવર્ષ વધતું જઈ રહ્યું છે અને મોટી સંખ્યા માં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ આ હોળી ને માણવા આવી રહ્યા છે.
3.વૃંદાવન માં વિધવાઓ દ્વારા હોળી
દિવસ : મુખ્ય હોળી ના બે દિવસ પહેલા
સ્થળ : પાગલબાબા વિધવા આશ્રમ, વૃંદાવન
ભારતમાં ઘણી ખરી જગ્યાઓ માં વિધવાઓ ને સમાજ માં થી દુર કરવાની ભાવના જોવા મળે છે તથા તેમને સામાજિક જીવન ત્યજી ને સન્યાસી જીવન વ્યતીત કરવા માટે આશ્રમો માં આશરો લેવા મોકલી આપવામાં આવે છે,આવું કરતા વિધવા સ્ત્રીઓ ના જીવન નિરાશાજનક બની જાય છે.તેઓ ને સફેદ કપડાં પહેરવા અને રંગો ત્યજી દેવા માટે કહેવાય છે
Comments
Post a Comment