Skip to main content

રાધે ક્રિષ્ના નાં હોળી ઉત્સવો ભાગ-૧


આમ તો ભારત માં દરેક તહેવારો જોર શોર થી મનાવવામાં આવે છે.પરંપરા ની વાત કરીએ તો તહેવારો  માણસને સંસ્કૃતિ થી જોડી રાખે છે ને આજના મોર્ડન જમાના નું માનીએ તો ઇટ્સ ઓલ અબાઉટ ફન બડી.. તો મને લાગે છે કે આવી જ રીતે આપણે તહેવારો ને મોર્ડન ટચ અપીને પણ મજા લેવાનું અવનારા સમય માં પણ ચાલુ જ રાખીશું…
હવે એ મજા એમાંય જો ફાગણ માહિના માં આવતા હોળી ના તહેવાર ની હોય તો જલસો બમણો થઇ જાય.કારણકે હોળી એ ફક્ત એક રિવાજી તહેવાર નથી એ તો રંગો નો તહેવાર છે.હોળી એ ફક્ત પરમ્પરાઓની ઉજવણી જ નહીં પરંતુ મસ્તી ને ઉછાડવાનો તહેવાર છે.ઇટ્સ ઓલ અબાઉટ કલર પાર્ટી બડી…
કહેવાય છે કે,હોળી ની ઉજવણી અને રંગોનું આ મહત્વ દ્વાપરયુગ માં ભગવાન શ્રીકૃષ્ણ ના સમય થી પ્રચલિત થયું છે.
પ્રેમ અને ઉત્સાહ ના પ્રતિકરૂપી આ તહેવાર ને ઉજવવા નો જાણે ભગવાને લોકો ને સંદેશો આપ્યો હોય તેવું લાગે છે.એટલે જ કાદાચ આજે પણ કૃષ્ણ જન્મભૂમિ એવા મથુરા-વૃન્દાવન-નન્દગાઉ-બરસાના માં ભારત ની સર્વશ્રેષ્ઠ અને અનોખી હોળી ની ઉજવણી થાય છે, અને એપણ પુરા એક  અઠવાડિયા સુધી.
તમે કદાચ હોળી ફક્ત એક દિવસ માટે જ ઉજવી હશે  પરંતુ અહીંયા હોળી નો તહેવાર હોળી ના મુખ્ય દિવસ ના લગભગ એક અઠવાડીયા પહેલાથી જ શરૂ થાય છે.
1. બરસાના અને નંદગાવ ની લઠ્ઠામાર હોડી
દિવસ : ફાગણ મહિનાની નવમી (નવમો દિવસ)
સ્થળ : નંદગાંવ અને બરસાના રાધાજી મંદિર
કેવી રીતે પહોચવું : મથુરા થી રીક્ષા મળી રહે છે.

બારસના માં લઠ્ઠામાર હોળી


આ દિવસે નંદગાંવ ના પુરુષ બારસના જાય છે અને ત્યાંના રાધાજી ના મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરે છે.સામે બારસાના ની સ્ત્રીઓ વાંસ ની લાકડીઓ(લઠ્ઠા) વડે મારીને તેમને રોકવાનો અને પાછા ધકેલવાનો પ્રયાશ કરે છે.આથી જ તો આ હોળી ને લઠ્ઠામાર હોળી કહેવામાં આવે છે જેમાં પુરુષ સ્ત્રીઓ પાર બચાવ માટે પ્રહાર નથી કરી શકતો,બસ તે ફક્ત તેમના પર રંગ ઉડાડી ને રોકવાની અભિવ્યક્તિ કરે છે.બારસાના માં હોળી નું આ દ્રશ્ય જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી ના એ પવિત્ર પ્રેમ ની અનુભૂતિ કરાવે છે જે હોળી ની રાસલીલા રમતા એ સમયે પ્રગટ થતો હશે.
2.વૃંદાવન ની ફૂલો ની હોળી



દિવસ : હોળી પહેલા ની એકાદશી નો દિવસ.
સ્થળ : બાકે-બિહારી મંદિર પરિસર,વૃંદાવન


વૃંદાવન માં આવેલ દરેક કૃષ્ણ મંદિર માં હોળી ની ખાસ ઉજવણી થાય છે પરંતુ આ બધા માં પણ બાકે-બિહારી (શ્રીકૃષ્ણ નું એક નામ) મંદિર માં થતી ઉજવણી મુખ્ય આકર્ષણ હોય છે.મુખ્ય હોળી ના દિવસ અગાઉ થી જ અહીંયા હોળી ના અયોજન શરૂ થઈ જાય છે.એકાદશી ના દિવસે અહીંયા એક અંનોખું અયોજન કરવામાં આવે છે જેમાં પરંપરાગત રંગો અને પાણી ને બદલે ફૂલો વડે સૂકી હોળી રમવામાં આવે છે.સાંજના સમયે 4 વાગ્યે મંદિર ના દ્વાર હોળી રમવા માટે ખુલ્લા મુકવામાં આવે છે.મંદિર ના પૂજારીઓ દ્વારા ભક્તો પર ફૂલો ની વર્ષા કરી ઉત્સવ નો પ્રારંભ કરવામાં  આવે છે.ફૂલો ની આ હોળી નું આકર્ષણ વર્ષોવર્ષ વધતું જઈ રહ્યું છે અને મોટી સંખ્યા માં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ આ હોળી ને માણવા આવી રહ્યા છે.
3.વૃંદાવન માં વિધવાઓ દ્વારા હોળી

દિવસ : મુખ્ય હોળી ના બે દિવસ પહેલા
સ્થળ : પાગલબાબા વિધવા આશ્રમ, વૃંદાવન
ભારતમાં ઘણી ખરી જગ્યાઓ માં વિધવાઓ ને સમાજ માં થી દુર કરવાની ભાવના જોવા મળે છે તથા તેમને સામાજિક જીવન ત્યજી ને સન્યાસી જીવન વ્યતીત કરવા માટે આશ્રમો માં આશરો લેવા મોકલી આપવામાં આવે છે,આવું કરતા વિધવા સ્ત્રીઓ ના જીવન નિરાશાજનક બની જાય છે.તેઓ ને સફેદ કપડાં પહેરવા અને રંગો ત્યજી દેવા માટે કહેવાય છે

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર