વૃંદાવન માં આવા જ એક વિધવા આશ્રમ માં રહેતી વિધવાઓએ થોડા વર્ષો પહેલા આ કુરિવાજ ને જાકારો આપીને હોળી ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી.અહીંયા તમને રંગો સાથે આનંદિત ચહેરાઓ નો સંગમ જોવા મળશે.
4.બાકે-બિહારી મંદિરની હોળી
દિવસ: હોળી નો મુખ્ય દિવસ
સ્થળ : બાકે-બિહારી મંદિર
શ્રીકૃષ્ણ જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બાકે-બિહારી મંદિર જે હોળી નું મુખ્ય આકર્ષણ છે ત્યાં હોળી ના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.પૂજારીઓ દવારા ૯ વાગ્યા ને સુમારે મંદિર ના દ્વાર ખોલવામાં આવે છે અને લગભગ બપોરના ૧:૩૦ વાગ્યા સુધી રંગો નો આ ઉત્સવ ઉજવાવમાં આવે છે.અબીલ-ગુલાલ અને સુગંધિત પાણી વડે ભક્તો ને ભીંજવી ને ભગવાન ના આશિર્વાદ અપાવવામાં આવે છે.અહીંયા ખાસ ભીડ હોય છે,જો તમે ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો વહેલા પહોંચી ને ઉપર બાલ્કની ની જગ્યા શોધી લેવી જરૂરી છે.
5.મથુરા માં હોળી યાત્રા
દિવસ : મથુરા માં હોળી ના મુખ્ય દિવસે
સ્થળ : વિશ્રામ ઘાટ થી શરુ
ઝાંખી સાથે હોળી યાત્રા- મથુરા
વૃંદાવન ના બાકે-બિહારી મંદિર માંથી નીકળીને બપોરે ૨ વાગ્યા ની આસ પાસ જો તમે મથુરા પહોચી જાઓ તો તમે વિશ્રામ ઘાટ થી શરૂ થતી હોળી યાત્રા નો અકલ્પનિય આનંદ માણી શકશો.આ શોભાયાત્રા માં સુંદર ઝાંખીઓનો નજારો જોવાલાયક હોય છે.વિશ્રામ ઘાટ થી લઇ હોળી ગેટ સુધી ચાલતી આ શોભાયાત્રા તમને રંગીન તેમજ જોશ અને આનંદ થી તરબોળ કરી મુકે તો નવાઈ નહીં.
ધીમે ધીમે રંગ અને રાગ ની છોળો વચ્ચે આગળ વધતા આ શોભાયાત્રા દસ થી વધારે ઝાંખી ઓ સાથે હોળી ગેટ પર પુર્ણાહુતી પામે છે.અહીંયા સાંજના ૬ વાગ્યા ના સુમારે હોલિકા દહન નો કાર્યક્રમ ગોઠવવા માં આવે છે.જેમાં હોલિકાના પ્રતીકરૂપી પૂતળાનું દહન કરવામાં આવે છે.
આ સમયે વિશ્રામ ઘાટ પાર સ્ત્રીઓ દ્વારા થતી પૂજા પણ જોવાલાયક હોય છે.સાંજના સમયે તમે લોકલ માર્કેટ માં પણ લટાર મારી શકો છો ને પેઠા,શ્રીજી ચાટ જેવી બ્રાજવાસી વાનગીઓ નો સ્વાદ માણી શકો છો.
6.મથુરા માં ધુળેટી ની ઉજવણી
દિવસ : ધુળેટી ના દિવસે (તહેવાર નો મુખ્ય દિવસ)
સ્થળ : દ્વારિકાધીશ મંદિર મથુરા
સમય : સવાર ના ૮ -૯ વાગ્યાથી જવું જો તમે આગળ સ્થાન મેળવવા માંગતા હોય
ધુળેટી ના દિવસે મથુરા ના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિર માં થતી ઉજવણી જોરશોર થી થાય છે જ્યાં દરેક પ્રવાસી અને સ્થાનિક લોકો ભાગ લેતા જોવા મળે છે.આમ તો બાકે-બિહારી મંદિર ની જેમ અહીંયા પણ પૂજારીઓ દ્વારા ભક્તસમુદાય પાર રંગો ની વર્ષા કારી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવે છે,પરંતુ અહીંયા મંદિર પરીશર સુંદર અને સરળ જણાય છે ઉપરાંત ભીડ પણ છૂટી છવાય જોવા મળે છે.બપોર સુધી ચાલતી આ ઉજવણી તમને રંગ અને અધ્યાત્મ નો અનોખો અનુભવ કરાવશે,જે કદાચ તમારો આજસુધી નો તમારો હોળી નો સર્વશ્રેષ્ઠ અનુભવ હશે.
અહીંયા ખાસ તમે તમારા ઈલેટ્રોનિક સાધનો નો ખાસ ખ્યાલ રાખશો તથા તમારા કપડાં આ ઉત્સવ પછી પહેરવા લાયક નહીં રહે તે ધ્યાન માં રાખજો.ભીડભાડ માં થતી ખેંચા ખેંચી માં આપના કપડાં ફાટવાનો પણ ભય રહે છે તો જો મારું માનો તો ફક્ત એક કપડું ના પહેરવું.બાકી તો પ્રભુ ઈચ્છા..
વિશ્રામ ઘાટ પર ભાંગ ની મજા
જો તમે વહેલી સવારે ૭ વાગ્યે ઉઠી શકો તો તમે વિશ્રામ ઘાટ પર પુજારીઓ દ્વારા જયારે ભાંગ બનાવવા માં આવે છે ત્યાર ની અનોખી ક્ષણોનો લાભ પણ ઉઠાવી શકો છો(કદાચ મારે કહેવાની જરુર નથી લાગતી કે એ લાભ કેમ ઉઠાવવો)..
7.હુરંગા – દાઊજી (બલરામ) મંદિર ઉત્સવ
દિવસ: ધૂળેટી નો પછીનો દિવસ
સ્થળ : બલરામ મંદિર (દાઉજી મંદિર મથુરાથી ૩૦ કી.મી દુર)
કેવી રીતે પહોચવું: મથુરાથી કેબ,ટેક્ષી,બસ વગેરે મળી રહે છે.
જાણે એ માહોલ માં સમય પણ એક વાર રંગીન બની જાય છે જયારે ધૂળેટી ના પછી ના દિવસે મથુરાથી ૩૦ કી.મી. દુર બલરામ મંદિર ના પટાંગણ માં મહિલાઓ દ્વારા આક્રમક રીતે પુરુષો પર પ્રહાર કરી,તેમના વસ્ત્રો ને ફાડી ને હોળી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.અહિયાં આ સૌથી પ્રિય ત્યોહાર છે જે ૫૦૦ વર્ષ પહેલા મંદિર ની સ્થાપના કરનાર પરિવાર ની મહિલાઓ દ્વારા ઉજવાવની શરૂઆત થઇ.આજે પણ એ પરિવાર ના ૩૦૦૦ જેટલા સદસ્યો બાજુ ના ગામ તથા દુનીયાની દરેક જગ્યાએથી અહિયાં આ ઉત્સવ માં ભાગ લેવા ઉપસ્થીત રહે છે.સવારે થી બપોર સુધી ચાલતા આ ત્યોહાર માં દરેક લોકો ને જોરદાર મજા પડે છે.
આ ઉપરાંત ની મજા જે ના ભૂલવી …
ભાંગ જે અહિયાં લીગલ છે જેને ઠંડાઈ કહેવાય છે (કેશર મિશ્રિત દૂધ વડે બનાવાય છે) તેમજ કચોરી,ચાટ પૂરી,પાણી પૂરી,બ્રજ્વાસી વાળા ની કેટલીયે વાનગીઓ જે તમરા પેટને પણ મજા કરાવી દેશે.આ બધા માટે ફરી એકવાર પોસ્ટ મુકીશ પણ એ પછી..અત્યારે આટલુજ.
તો,બસ થઇ જાઓ તૈયાર ત્યોહારો ની રખડપંથી માટે, હોળી માં સાવ ઘરે બેસી રહેવા કરતા ચાલો જરા રખડીએ…કદાચ આ તમારા જીવનની શાનદાર ને યાદગાર હોળી બની રહેશે.
4.બાકે-બિહારી મંદિરની હોળી
દિવસ: હોળી નો મુખ્ય દિવસ
સ્થળ : બાકે-બિહારી મંદિર
શ્રીકૃષ્ણ જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બાકે-બિહારી મંદિર જે હોળી નું મુખ્ય આકર્ષણ છે ત્યાં હોળી ના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.પૂજારીઓ દવારા ૯ વાગ્યા ને સુમારે મંદિર ના દ્વાર ખોલવામાં આવે છે અને લગભગ બપોરના ૧:૩૦ વાગ્યા સુધી રંગો નો આ ઉત્સવ ઉજવાવમાં આવે છે.અબીલ-ગુલાલ અને સુગંધિત પાણી વડે ભક્તો ને ભીંજવી ને ભગવાન ના આશિર્વાદ અપાવવામાં આવે છે.અહીંયા ખાસ ભીડ હોય છે,જો તમે ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો વહેલા પહોંચી ને ઉપર બાલ્કની ની જગ્યા શોધી લેવી જરૂરી છે.
5.મથુરા માં હોળી યાત્રા
દિવસ : મથુરા માં હોળી ના મુખ્ય દિવસે
સ્થળ : વિશ્રામ ઘાટ થી શરુ
ઝાંખી સાથે હોળી યાત્રા- મથુરા
વૃંદાવન ના બાકે-બિહારી મંદિર માંથી નીકળીને બપોરે ૨ વાગ્યા ની આસ પાસ જો તમે મથુરા પહોચી જાઓ તો તમે વિશ્રામ ઘાટ થી શરૂ થતી હોળી યાત્રા નો અકલ્પનિય આનંદ માણી શકશો.આ શોભાયાત્રા માં સુંદર ઝાંખીઓનો નજારો જોવાલાયક હોય છે.વિશ્રામ ઘાટ થી લઇ હોળી ગેટ સુધી ચાલતી આ શોભાયાત્રા તમને રંગીન તેમજ જોશ અને આનંદ થી તરબોળ કરી મુકે તો નવાઈ નહીં.
ધીમે ધીમે રંગ અને રાગ ની છોળો વચ્ચે આગળ વધતા આ શોભાયાત્રા દસ થી વધારે ઝાંખી ઓ સાથે હોળી ગેટ પર પુર્ણાહુતી પામે છે.અહીંયા સાંજના ૬ વાગ્યા ના સુમારે હોલિકા દહન નો કાર્યક્રમ ગોઠવવા માં આવે છે.જેમાં હોલિકાના પ્રતીકરૂપી પૂતળાનું દહન કરવામાં આવે છે.
આ સમયે વિશ્રામ ઘાટ પાર સ્ત્રીઓ દ્વારા થતી પૂજા પણ જોવાલાયક હોય છે.સાંજના સમયે તમે લોકલ માર્કેટ માં પણ લટાર મારી શકો છો ને પેઠા,શ્રીજી ચાટ જેવી બ્રાજવાસી વાનગીઓ નો સ્વાદ માણી શકો છો.
6.મથુરા માં ધુળેટી ની ઉજવણી
દિવસ : ધુળેટી ના દિવસે (તહેવાર નો મુખ્ય દિવસ)
સ્થળ : દ્વારિકાધીશ મંદિર મથુરા
સમય : સવાર ના ૮ -૯ વાગ્યાથી જવું જો તમે આગળ સ્થાન મેળવવા માંગતા હોય
ધુળેટી ના દિવસે મથુરા ના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિર માં થતી ઉજવણી જોરશોર થી થાય છે જ્યાં દરેક પ્રવાસી અને સ્થાનિક લોકો ભાગ લેતા જોવા મળે છે.આમ તો બાકે-બિહારી મંદિર ની જેમ અહીંયા પણ પૂજારીઓ દ્વારા ભક્તસમુદાય પાર રંગો ની વર્ષા કારી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવે છે,પરંતુ અહીંયા મંદિર પરીશર સુંદર અને સરળ જણાય છે ઉપરાંત ભીડ પણ છૂટી છવાય જોવા મળે છે.બપોર સુધી ચાલતી આ ઉજવણી તમને રંગ અને અધ્યાત્મ નો અનોખો અનુભવ કરાવશે,જે કદાચ તમારો આજસુધી નો તમારો હોળી નો સર્વશ્રેષ્ઠ અનુભવ હશે.
અહીંયા ખાસ તમે તમારા ઈલેટ્રોનિક સાધનો નો ખાસ ખ્યાલ રાખશો તથા તમારા કપડાં આ ઉત્સવ પછી પહેરવા લાયક નહીં રહે તે ધ્યાન માં રાખજો.ભીડભાડ માં થતી ખેંચા ખેંચી માં આપના કપડાં ફાટવાનો પણ ભય રહે છે તો જો મારું માનો તો ફક્ત એક કપડું ના પહેરવું.બાકી તો પ્રભુ ઈચ્છા..
વિશ્રામ ઘાટ પર ભાંગ ની મજા
જો તમે વહેલી સવારે ૭ વાગ્યે ઉઠી શકો તો તમે વિશ્રામ ઘાટ પર પુજારીઓ દ્વારા જયારે ભાંગ બનાવવા માં આવે છે ત્યાર ની અનોખી ક્ષણોનો લાભ પણ ઉઠાવી શકો છો(કદાચ મારે કહેવાની જરુર નથી લાગતી કે એ લાભ કેમ ઉઠાવવો)..
7.હુરંગા – દાઊજી (બલરામ) મંદિર ઉત્સવ
દિવસ: ધૂળેટી નો પછીનો દિવસ
સ્થળ : બલરામ મંદિર (દાઉજી મંદિર મથુરાથી ૩૦ કી.મી દુર)
કેવી રીતે પહોચવું: મથુરાથી કેબ,ટેક્ષી,બસ વગેરે મળી રહે છે.
જાણે એ માહોલ માં સમય પણ એક વાર રંગીન બની જાય છે જયારે ધૂળેટી ના પછી ના દિવસે મથુરાથી ૩૦ કી.મી. દુર બલરામ મંદિર ના પટાંગણ માં મહિલાઓ દ્વારા આક્રમક રીતે પુરુષો પર પ્રહાર કરી,તેમના વસ્ત્રો ને ફાડી ને હોળી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.અહિયાં આ સૌથી પ્રિય ત્યોહાર છે જે ૫૦૦ વર્ષ પહેલા મંદિર ની સ્થાપના કરનાર પરિવાર ની મહિલાઓ દ્વારા ઉજવાવની શરૂઆત થઇ.આજે પણ એ પરિવાર ના ૩૦૦૦ જેટલા સદસ્યો બાજુ ના ગામ તથા દુનીયાની દરેક જગ્યાએથી અહિયાં આ ઉત્સવ માં ભાગ લેવા ઉપસ્થીત રહે છે.સવારે થી બપોર સુધી ચાલતા આ ત્યોહાર માં દરેક લોકો ને જોરદાર મજા પડે છે.
આ ઉપરાંત ની મજા જે ના ભૂલવી …
ભાંગ જે અહિયાં લીગલ છે જેને ઠંડાઈ કહેવાય છે (કેશર મિશ્રિત દૂધ વડે બનાવાય છે) તેમજ કચોરી,ચાટ પૂરી,પાણી પૂરી,બ્રજ્વાસી વાળા ની કેટલીયે વાનગીઓ જે તમરા પેટને પણ મજા કરાવી દેશે.આ બધા માટે ફરી એકવાર પોસ્ટ મુકીશ પણ એ પછી..અત્યારે આટલુજ.
તો,બસ થઇ જાઓ તૈયાર ત્યોહારો ની રખડપંથી માટે, હોળી માં સાવ ઘરે બેસી રહેવા કરતા ચાલો જરા રખડીએ…કદાચ આ તમારા જીવનની શાનદાર ને યાદગાર હોળી બની રહેશે.
Comments
Post a Comment