ને... કાનો" ....રડી પડયો
************************
કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા ફકત નવ વર્ષનાં હતા…!
એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…
ગયા તે ગયા જ
એક બહુ જ સરસ "રાધા કૃષ્ણ" મિલન સંવાદ છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા,કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
'કેમ છો દ્વારકાધીશ..?
આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!
રાધા જવાબ આપે છે
કાના મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..કાના
હું તો તને ભૂલી જ નથી ,
મે આંખમાં આંસુ પણ નથી આવવા દીધા .!
કારણ કે મારી આંખમાં તું જ હતો…કાના
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી આસુ સાથે તું વહી જઈશ..
તને ખબર છે...કાના ?
કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તારે કેટલું બધું ગુમાવ્યું પડયું છે,
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ કાના બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..? કાના
તું કાનો જ રહ્યો હોત ને તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..
દ્વારકાધીશ બન્યો એટલે સુદામા ને તારી પાસે દોડી નેઆવવું પડ્યું..
કાના…
તે ભગવત ગીતા લખી એમાં કયાં ય મારા નામનો ઉલ્લેખ જ કર્યો નથી..!
છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..
રાધે રાધે"…રાધે કૃષ્ણ". .
શું કામ બોલે છે..?
કાના..
તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!
કાના માંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…ને..? કાના... બોલ.. કાના..ગુમાવ્યું છે ને..? જવાબ દે ..કાના, ચુપ કેમ થઈ ,ગયો , ..કાના..?
'..ને જગતગુરૂ 'દ્વારકાધીશ કાનો" ચોધાર આંસુ એ.. રડી પડ્યો..!
🙏 Radhe Radhe🙏
'
************************
કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા ફકત નવ વર્ષનાં હતા…!
એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…
ગયા તે ગયા જ
એક બહુ જ સરસ "રાધા કૃષ્ણ" મિલન સંવાદ છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા,કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
'કેમ છો દ્વારકાધીશ..?
આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!
રાધા જવાબ આપે છે
કાના મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..કાના
હું તો તને ભૂલી જ નથી ,
મે આંખમાં આંસુ પણ નથી આવવા દીધા .!
કારણ કે મારી આંખમાં તું જ હતો…કાના
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી આસુ સાથે તું વહી જઈશ..
તને ખબર છે...કાના ?
કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તારે કેટલું બધું ગુમાવ્યું પડયું છે,
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ કાના બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..? કાના
તું કાનો જ રહ્યો હોત ને તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..
દ્વારકાધીશ બન્યો એટલે સુદામા ને તારી પાસે દોડી નેઆવવું પડ્યું..
કાના…
તે ભગવત ગીતા લખી એમાં કયાં ય મારા નામનો ઉલ્લેખ જ કર્યો નથી..!
છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..
રાધે રાધે"…રાધે કૃષ્ણ". .
શું કામ બોલે છે..?
કાના..
તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!
કાના માંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…ને..? કાના... બોલ.. કાના..ગુમાવ્યું છે ને..? જવાબ દે ..કાના, ચુપ કેમ થઈ ,ગયો , ..કાના..?
'..ને જગતગુરૂ 'દ્વારકાધીશ કાનો" ચોધાર આંસુ એ.. રડી પડ્યો..!
🙏 Radhe Radhe🙏
'
Comments
Post a Comment