આપણને દુઃખ મુક્ત કરનારી મહાન ઔષિધી પ્રેમ છે અને તે સ્વસ્થતાનું ઉમદા સ્વરૂપ હોવાથી શાંતિદાયક છે, એ વાતનું જ્ઞાન આપણને ક્યારે થશે, જ્યાં પ્રેમસામ્રાજ્ય સ્થપાયેલું હોય ત્યાં જરાપણ અસ્વસ્થતા રહેતી નથી. પ્રેમ એ સ્વસ્થતા, શાંતિ અને સુખનું સ્વરૂપજ છે. પ્રેમ એ મહાન શિક્ષક, ઉત્તમોત્તમ સુખદાતા અને સાચો શાંતિ સ્થાપક છે. વૈરભાવ, દ્વેષ તથા સઘળી પાશવવૃત્તિઓનો એ ઉત્તમ ઈલાજ છે. ગરમી વડે જેમ બરફ પીગળે છે તેમ માયાળુપણાથી ક્રૂરતા પીગળે છે અને ખરાબ વૃત્તિઓ નાશ પામે છે. તેથી પ્રેમથી સામે આસુરીવૃતિ હોય કે સમાજે લીધેલ કઠિન પરીક્ષા દરેકની હાર છે. પ્રેમની પરીક્ષા એટલે ભરોસાનો અભાવ. તો ચાલો સૌ સાથે મળીને હરીને પ્રેમથી બોલીએ જય શ્રી રાધે કૃષ્ણ
જય શ્રી રાધે કૃષ્ણ
Comments
Post a Comment