Skip to main content

પરમમિત્ર હોવાછતા પણ સુદામાએ શ્રીકૃષ્ણને દગો આપ્યો હતો.

સુદામા- કૃષ્ણની આ કથાનો ભાગવતપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

- જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે

હિન્દૂ ધાર્મિક પુરાણોમાં કોઇને પણ દગો દેવો અથવા ખોટું બોલવાને સૌથી મોટા અપરાધોમાંથી એક માનવામાં આવે છે. આમ તો ગરુડપુરાણ અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તે અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.
પરંતુ અજાણતા અથવા તો નાનામાં નાના અપરાધનું ફળ પણ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક મળે જ છે. એટલા માટે કહેવામાં આવે છે કે મનુષ્યે કોઇ પણ વ્યક્તિ સાથે કપટ ન કરવો જોઇએ. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનનું ફળ આપણને ભગવાન નહીં પરંતુ પ્રકૃતિ પાસેથી મળે છે.
શ્રીકૃષ્ણ અને સુદામાની આ જ કથાનું ભાગવતપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સુદામાએ બાળપણમાં અજાણતાં શ્રીકૃષ્ણને ખોટું બોલી ગયા હતા. કહેવામાં આવે છે મિત્રના રૂપમાં પોતાના પરમ સખા શ્રીકૃષ્ણ સાથે કપટ કરવાનું પરિણામ સુદામાને યુવાન થયા બાદ મળ્યુ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ સાથે અન્યાય કરવાનો દંડ સુદામાને ગરીબીના રૂપમાં મળ્યો હતો.
સુદામા અને શ્રીકૃષ્ણનું શિક્ષણ-દીક્ષા એક જ ગુરુકુલમાં મળી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુકુલથી બહાર જઇ રહ્યા હતા. વરસાદથી બચવા માટે કૃષ્ણ અને સુદામા એક ઊંચા વૃક્ષ પર ચઢી ગયા. ધીમે-ધીમે રાત થવા લાગી પરંતુ વરસાદ બંધ ન થયો. સુદામા કૃષ્ણથી ઉપરની ડાળીએ બેઠા હતા જ્યારે શ્રીકૃષ્ણ નીચેની ડાળીએ બેસીને વરસાદ થમવાની રાહ જોઇ રહ્યા હતા.
આટલામાં સુદામાને ભૂખ લાગવા લાગી. સુદામાને યાદ આવ્યુ કે ગુરુકુલમાંથી લાવેલા થેલામાં કાચા ચોખા અને ચણા રાખ્યા છે. ભૂખે સુદામાને એટલા વ્યાકૂળ કરી દીધા હતા કે તેઓ કંઇ પણ વિચારવા-સમજવાની સ્થિતિમાં ન હતા. તેમણે ચોખા-ચણાના દાણા ખાવાનું શરૂ કરી દીધુ. ચાવવાની ધ્વનિ સાંભળીને શ્રીકૃષ્ણે સુદામાને પ્રશ્ન કર્યો કે ચાવવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આ સાંભળીને સુદામાએ કહ્યુ 'મિત્ર ઠંડીના કારણે મારા દાંત કડકડવા લાગ્યા છે, મને ઠંડીથી ધ્રુજારી આવવા લાગી છે.'
ભગવાન શ્રીકૃષ્ણ તો પહેલાથી જ બધુ જાણતા હતા. પોતાના મિત્રના નિખાલસ ભર્યા જવાબથી તેઓ મનમાં જ હસી રહ્યા હતા. સુદામો પોતાના હિસ્સાનું પહેલાથી જ ખાઇ ચૂક્યા હતા. પરંતુ થોડીક વાર પછી તેમને ફરીથી ભૂખે વ્યાકૂળ બનાવી દીધા. આ વખતે તેમણે પોતાના મિત્રના હિસ્સાનું પણ ખાઇ લીધુ. શ્રીકૃષ્ણે ફરીથી સુદામાને સવાલ કર્યો અને તેમણે ફરીથી એ જ જવાબ આપી દીધો.
કહેવાય છે કે શ્રીકૃષ્ણનો ભાગ કપટથી ખાઇ જવાને કારણે સુદામાને ગરીબાઇનો સામનો કરવો પડ્યો હતો. તેમની આ પરિસ્થિતિમાં ત્યારે સુધારો જોવા મળ્યો જ્યારે તેમણે શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે ચોખા આપ્યા. શ્રીકૃષ્ણે પોતાના બાળપણના મિત્રને જોઇને ભેટી પડ્યા અને ચોખાના દાણાને ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધા. શ્રીકૃષ્ણના ચોખાના દાણા ગ્રહણ કરતા જ સુદામાની બધી ગરીબાઇ એક પળમાં દૂર થઇ ગઇ હતી.
આ જોઇને રુક્મણિએ શ્રીકૃષ્ણને સુદામાએ બાળપણમાં કરેલ અપરાધના દંડ વિશે પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સ્મિત સાથે કહ્યુ હું ક્યારેય પણ પોતાના ભક્તો અથવા પ્રિયજનોને દંડ આપી જ શકતો નથી. કારણ કે તેનાથી મને જ પીડા થાય છે. કર્મોનું ફળ તો નિયતિના હાથમાં હોય છે. મેં તો પોતાના મિત્રને એ જ દિવસે માફ કરી દીધો હતો. પરંતુ નિયતિ અથવા પ્રકૃતિ બધા માટે સમાન હોય છે

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર