રાધા: પણ આ ગોવાળો જે રીતે તને માન-સન્માન આપે છે એ રીતે તને બીજે નહી મળે કાના, અને કદાચ તું જાય તો એમને માઠું લગાડે ને પછી તને નહી સ્વીકારે તો? અને કાના વડવાઓ કહી ગયા છે કે જ્યાં માન ના હોય ત્યાં એક ક્ષણ પણ ના રહેવું જોઈએ. તું આટલું માન છોડી ને જઈશ?(રાધા એ બધી તરકીબો લગાવી દેવા નો નિશ્ચય કરી લીધો હતો એને કૃષ્ણને લાચાવી ને કે ડરાવી ને પણ ગોકુળમાં રાખવો હતો.)
કૃષ્ણ:રાધા મેંતો ક્યારેય માન સન્માનની પરવા કરી જ નથી, મેં જે કર્યું એ મારું કર્તવ્ય હતું અને મારું કામતો કર્મ કરવાનું છે ફળતો ઉપરવાળાના હાથમાં છે.(અત્યારે પહેલી વાર કૃષ્ણનું સ્થિતપ્રજ્ઞ વાળું રૂપ રાધાની સમક્ષ પ્રસ્તુત થયું હતું)
રાધા: લાગે છે તે ગોકુળ છોડવાનો વિચાર કરી જ લીધો છે કાના, તો હું તને નઈ રોકું પણ તે એક વાર પણ મારો વિચાર કર્યો હતો કાના? મારું શું? મારી ખુશીઓ નું શું? આપણે સાથે જોયેલા સપનાઓ નું શું જેને હું રોજ રાત્રે મારા મનમાં સેવતી હતી? કાના, આ આંખોનું શું જે રોજ બસ માત્ર કાનાનો ચહેરો જોવા જ જીવતી હોય એમ આખો દિવસ તને શોધતી હોય છે? કાના,આ કાન નું શું જે બસ કાનાનો અવાજ સાંભળવા માટે જ ખુલતા હોય છે? આ હાથ નું શું જે માત્ર કાનાના સ્પર્શ માટે જ બન્યા હોય એમ એની ગેરહાજરીમાં માં સુન્ન થઇને પડી રહે છે? આ પગ નું શું જે માત્ર તારી પાસે આવવા માટે જ બન્યા હોય એમ તારાથી અલગ થતા જ કામ કરવાની ના પડી દે છે? અને સૌથી વધારે તો આ મન જે આખો દિવસ ને રાત માત્ર તારા નામ નો જાપ કરતા થાકતું જ નથી જાણેએ મારું નહી પરંતુ તારું હોય. આ શરીર અને આ યુવાનીની શું કિંમત કાના જો એ તારી માટે ના હોય? તે તો તારી વાત મૂકી, તારી મહત્વાકાંક્ષા, તારી જીવનની રીત,તારા કર્મો, તારું જ્ઞાન અને તારા જીવનના રંગો પણ મારું શું કાના? મારા જીવનના બધા રંગો તો ખાલી કાના માં છે બીજે ક્યાંય નહિ. આમાં હું ક્યાં છું? (રાધા એ કૃષ્ણ ની આંખ માં આંખ નાખતા વેધક સવાલો નો એક પછી એક મારો ચલાવ્યો,એની આંખો અત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી હતી પરંતુ એકનો પણ જવાબ કૃષ્ણ પાસે નહતો)
કૃષ્ણ:રાધા મેંતો ક્યારેય માન સન્માનની પરવા કરી જ નથી, મેં જે કર્યું એ મારું કર્તવ્ય હતું અને મારું કામતો કર્મ કરવાનું છે ફળતો ઉપરવાળાના હાથમાં છે.(અત્યારે પહેલી વાર કૃષ્ણનું સ્થિતપ્રજ્ઞ વાળું રૂપ રાધાની સમક્ષ પ્રસ્તુત થયું હતું)
રાધા: લાગે છે તે ગોકુળ છોડવાનો વિચાર કરી જ લીધો છે કાના, તો હું તને નઈ રોકું પણ તે એક વાર પણ મારો વિચાર કર્યો હતો કાના? મારું શું? મારી ખુશીઓ નું શું? આપણે સાથે જોયેલા સપનાઓ નું શું જેને હું રોજ રાત્રે મારા મનમાં સેવતી હતી? કાના, આ આંખોનું શું જે રોજ બસ માત્ર કાનાનો ચહેરો જોવા જ જીવતી હોય એમ આખો દિવસ તને શોધતી હોય છે? કાના,આ કાન નું શું જે બસ કાનાનો અવાજ સાંભળવા માટે જ ખુલતા હોય છે? આ હાથ નું શું જે માત્ર કાનાના સ્પર્શ માટે જ બન્યા હોય એમ એની ગેરહાજરીમાં માં સુન્ન થઇને પડી રહે છે? આ પગ નું શું જે માત્ર તારી પાસે આવવા માટે જ બન્યા હોય એમ તારાથી અલગ થતા જ કામ કરવાની ના પડી દે છે? અને સૌથી વધારે તો આ મન જે આખો દિવસ ને રાત માત્ર તારા નામ નો જાપ કરતા થાકતું જ નથી જાણેએ મારું નહી પરંતુ તારું હોય. આ શરીર અને આ યુવાનીની શું કિંમત કાના જો એ તારી માટે ના હોય? તે તો તારી વાત મૂકી, તારી મહત્વાકાંક્ષા, તારી જીવનની રીત,તારા કર્મો, તારું જ્ઞાન અને તારા જીવનના રંગો પણ મારું શું કાના? મારા જીવનના બધા રંગો તો ખાલી કાના માં છે બીજે ક્યાંય નહિ. આમાં હું ક્યાં છું? (રાધા એ કૃષ્ણ ની આંખ માં આંખ નાખતા વેધક સવાલો નો એક પછી એક મારો ચલાવ્યો,એની આંખો અત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી હતી પરંતુ એકનો પણ જવાબ કૃષ્ણ પાસે નહતો)
Weldone Bro.
ReplyDeleteKeep Continue