Skip to main content

૫૦૦૦ વર્ષ પછી પણ શ્રાપની સાબીતી





મહાભારત હિન્દુ ધર્મના સૌથી મોટા અને રસપ્રદ ગ્રંથોમાંનો એક છે. તેમાં એવા ઘણા રહસ્યો અને સત્યઘટનાઓ છે, જેનાથી હજુ પણ લોકો અજાણ છે. આજે, અમે તમને મહાભારતના 3 શાપ વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર આજે પણ પૃથ્વી પર જોવા મળે છે. મહાભારતનાં 3 સૌથી મહત્વપૂર્ણ શાપ વિશે જાણો.



પૃથ્વી પર કળિયુગના આગમનને કારણે શાપ-

મહાભારત યુદ્ધ પછી, જ્યારે પાંડવો સ્વર્ગ માટે પૃથ્વી છોડી ગયા, ત્યારે સમગ્ર રાજ્ય પરીિક્ષતની સોંપીને ગયા હતા. રાજા પરિક્ષીતના શાસન દરમ્યાન બધા લોકો ખુશ હતા. એક વખત રાજા જંગલમાં ગયા, ત્યાં તેણે શમિક નામના ઋષિને જોયા. તેઓ પોતાની તપશ્ચર્યામાં લીન હતા તેથી તેમણે મૌન વ્રત રાખ્યું હતું.  પરિક્ષીતે ઘણીવાર બોલાવ્યા છતાં ઋષિનું મૌન તોડા ન શક્યા. આથી પરિક્ષીત ગુસ્સે થયા, અને ઋષિનાં ગળામાં મૃત સાપને મૂકી ચાલ્યા ગયા.

 જ્યારે શમિક ઋષિના પુત્રને ખબર પડી, ત્યારે તેમણે રાજા પારિક્ષીતને શાપ આપ્યો કે આજથી 7 દિવસ પછી, રાજાનું સાપ કરડવાથી મૃત્યુ થશે. રાજા પરિક્ષીતના જીવતા, કળિયુગમાં એવી હિંમત નહોતી કે તે પ્રભુત્વ પામી શકે, પરંતુ તેમના મૃત્યુ પછી, કળિયુગ પૃથ્વી પર હાવી થઈ ગયો.

જેના કારણે સ્ત્રીઓ કોઈ રહસ્યો છુપાવી શકતી નથી -

મહાભારત મુજબ, જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે, માતા કુન્તીઓ પાંડવોને એ રહસ્ય કહ્યું કે, કર્ણ તેમનો ભાઈ છે. આ જાણ્યા પછી, બધા પાંડવો દુ:ખી થયા અને યુધિષ્ઠિરે કર્ણની અંતિમ વિધિઓ કરી હતી. બધા પાંડવો કુન્તી પર ગુસ્સો ધરાવતા હતા કારણ કે તેઓએ તેમના જીવનકાળ દરમિયાન આવી મોટી વાત છુપાવી હતી. આ કારણોસર, યુધિષ્ઠિરે માતા કુન્તીને શાપ આપ્યો હતો કે આજથી કોઈ પણ સ્ત્રી કોઈ પણ ગુપ્ત બાબતને છુપાવી શકશે નહીં.

શાપ જેના કારણે, આજે પણ અશ્વત્થામા ભટકે છે -

મહાભારતના યુદ્ધમાં જ્યારે અશ્વત્થામાએ પાંડવોનાં પુત્રને કપટથી માર્યા ત્યારે, પાંડવો સાથે ભગવાન કૃષ્ણ,અશ્વત્થામાનો પીછો કરતાં મહર્ષિ વેદ વ્યાસનાં આશ્રમમાં પહોંચી ગયા. અશ્વત્થામા અને અર્જુન વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અશ્વત્થામા અને અર્જુને યુદ્ધ દરમિયાન પોતાના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તે સમયે, મહર્ષિ વેદવ્યાસે બંને હથિયારો ટકરાતાં અટકાવી અને અર્જુન ને અશ્વત્થામા બંનેને તે અસ્ત્રો પાછા ખેંચવા માટે કહ્યું. અર્જુને તેના બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું. પરંતુ અશ્વાથામાએ પોતાના હથિયારની દિશા બદલી,તેને અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં રહેલ બાળક પર છોડ્યું , ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શાપ આપ્યો કે, તું આ પૃથ્વી પર ભટકતો રહીશ. કોઈ તને જોઈ શકશે નહીં, તું કોઈની પણ સાથે વાત કરી શકીશ નહીં. તું કળિયુગ દરમિયાન જંગલમાં જ ભટકતો રહીશ.

Comments

Popular posts from this blog

ક્રિષ્નાની પટરાણીઓ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી આઠ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ આઠેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની આઠેય પટરાણીઓ વિશેની અનોખી વાત. રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા. કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવા

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.) આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

જાણો કેમ કરી હતી ક્રિષ્નાએ માખણની ચોરી?

કૃષ્ણ એ ઘણી બધી  અદભૂત  લીલા ઓ કરી  છે તેમાં એક  વિખ્યાત માખણચોરી ની લીલા પણ  છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરીકરવાની જરૂર કેમ પડી?   આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન  શ્રીમદ્  ભાગવત   નાં  દશમ  સ્કંધ  માં  આપેલું  છે. શ્રીમદ્ ભાગવત માં  આ આખી લીલા ફક્ત ૪ શ્લોક માં આપેલીછે.         **********         કૃષ્ણ બહુજ નટખટ છે.  કૃષ્ણ જયારે પાપા પગલી માંડતા હતા તેટલા નાના હતા, ત્યારે ગોપીઓ યશોદામાતા ને કહે છે કે “ તારો લાલન  ખુબ  જ નટખટ છે અનેઅત્યારે તો હજુ ચાલતાં  જ નથી શીખ્યો ત્યાં તો કેટલી કૂદમકૂદી કરે છે. પગલી માંડવાની ઉંમર નું બાળક ૨-૩ વર્ષ નાં બાળક ની જેમ વર્તે  છે .”         **********         આ માખણ ચોરીલીલા કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જછે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી.         કૃષ્ણ એ જોયું કે વ્રજ ના પ્રજાજનો શારીરિક, નાણાંકીય અથવા આધ્યાત્મિક રીતે મજબુત નથી. તે માટે કૃષ્ણ એ લોકો ને સુધારવા  માટેનો  ઉપાય શોધ્યો.  વ્રજવાસીઓ મથુરા વાસીઓને અનાજ  આપતા  હતાં અને  ત્યાંથી રોજીર