મહાભારત હિન્દુ ધર્મના સૌથી મોટા અને રસપ્રદ ગ્રંથોમાંનો એક છે. તેમાં એવા ઘણા રહસ્યો અને સત્યઘટનાઓ છે, જેનાથી હજુ પણ લોકો અજાણ છે. આજે, અમે તમને મહાભારતના 3 શાપ વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર આજે પણ પૃથ્વી પર જોવા મળે છે. મહાભારતનાં 3 સૌથી મહત્વપૂર્ણ શાપ વિશે જાણો.
પૃથ્વી પર કળિયુગના આગમનને કારણે શાપ-
મહાભારત યુદ્ધ પછી, જ્યારે પાંડવો સ્વર્ગ માટે પૃથ્વી છોડી ગયા, ત્યારે સમગ્ર રાજ્ય પરીિક્ષતની સોંપીને ગયા હતા. રાજા પરિક્ષીતના શાસન દરમ્યાન બધા લોકો ખુશ હતા. એક વખત રાજા જંગલમાં ગયા, ત્યાં તેણે શમિક નામના ઋષિને જોયા. તેઓ પોતાની તપશ્ચર્યામાં લીન હતા તેથી તેમણે મૌન વ્રત રાખ્યું હતું. પરિક્ષીતે ઘણીવાર બોલાવ્યા છતાં ઋષિનું મૌન તોડા ન શક્યા. આથી પરિક્ષીત ગુસ્સે થયા, અને ઋષિનાં ગળામાં મૃત સાપને મૂકી ચાલ્યા ગયા.
જ્યારે શમિક ઋષિના પુત્રને ખબર પડી, ત્યારે તેમણે રાજા પારિક્ષીતને શાપ આપ્યો કે આજથી 7 દિવસ પછી, રાજાનું સાપ કરડવાથી મૃત્યુ થશે. રાજા પરિક્ષીતના જીવતા, કળિયુગમાં એવી હિંમત નહોતી કે તે પ્રભુત્વ પામી શકે, પરંતુ તેમના મૃત્યુ પછી, કળિયુગ પૃથ્વી પર હાવી થઈ ગયો.
જેના કારણે સ્ત્રીઓ કોઈ રહસ્યો છુપાવી શકતી નથી -
મહાભારત મુજબ, જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે, માતા કુન્તીઓ પાંડવોને એ રહસ્ય કહ્યું કે, કર્ણ તેમનો ભાઈ છે. આ જાણ્યા પછી, બધા પાંડવો દુ:ખી થયા અને યુધિષ્ઠિરે કર્ણની અંતિમ વિધિઓ કરી હતી. બધા પાંડવો કુન્તી પર ગુસ્સો ધરાવતા હતા કારણ કે તેઓએ તેમના જીવનકાળ દરમિયાન આવી મોટી વાત છુપાવી હતી. આ કારણોસર, યુધિષ્ઠિરે માતા કુન્તીને શાપ આપ્યો હતો કે આજથી કોઈ પણ સ્ત્રી કોઈ પણ ગુપ્ત બાબતને છુપાવી શકશે નહીં.
શાપ જેના કારણે, આજે પણ અશ્વત્થામા ભટકે છે -
મહાભારતના યુદ્ધમાં જ્યારે અશ્વત્થામાએ પાંડવોનાં પુત્રને કપટથી માર્યા ત્યારે, પાંડવો સાથે ભગવાન કૃષ્ણ,અશ્વત્થામાનો પીછો કરતાં મહર્ષિ વેદ વ્યાસનાં આશ્રમમાં પહોંચી ગયા. અશ્વત્થામા અને અર્જુન વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અશ્વત્થામા અને અર્જુને યુદ્ધ દરમિયાન પોતાના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તે સમયે, મહર્ષિ વેદવ્યાસે બંને હથિયારો ટકરાતાં અટકાવી અને અર્જુન ને અશ્વત્થામા બંનેને તે અસ્ત્રો પાછા ખેંચવા માટે કહ્યું. અર્જુને તેના બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું. પરંતુ અશ્વાથામાએ પોતાના હથિયારની દિશા બદલી,તેને અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં રહેલ બાળક પર છોડ્યું , ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શાપ આપ્યો કે, તું આ પૃથ્વી પર ભટકતો રહીશ. કોઈ તને જોઈ શકશે નહીં, તું કોઈની પણ સાથે વાત કરી શકીશ નહીં. તું કળિયુગ દરમિયાન જંગલમાં જ ભટકતો રહીશ.
Comments
Post a Comment